Arvalli : શારીરિક સંબંધ બાંધવાને ઇરાદે સગીરાને યુવક ભગાડી ગયો, પકડાઇ જતાં કેવા થયા હાલ?

Arvalli : શારીરિક સંબંધ બાંધવાને ઇરાદે સગીરાને યુવક ભગાડી ગયો, પકડાઇ જતાં કેવા થયા હાલ?

<p><strong>માલપુરઃ</strong> અરવલ્લીમાં સગીરાને ભગાડવી યુવકને પડી ભારે પડી ગયું છે. શારીરિક સંબંધ બાંદવાના ઇરાદે યુવક સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઈ ગયો હતો. જોકે, લોકોએ યુવકને સગીરા સાથે પકડી પાડ્યો હતો અને માલપુરના મેવાડા ગામના અમુક લોકોએ યુવકને આપી તાલિબાની સજા આપી હતી.&nbsp;</p> <p>યુવકને માર મારી માથે મુંડન કરાતો વિડીયો વાયરલ થયો છે. જો કે હજી સુધી આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી. યુવક સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઇ ગયો હોવાનો આક્ષેપ થયો છે. સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે લઈ ગયો હોવાના આક્ષેપનો વિડિઓમાં ઉલ્લેખ છે. પકડાયેલા યુવાનને સગીરાના પરિવારે કરાવ્યું ભાન કરાવ્યું હતું. યુવકનું મુંડન કરી લેખિતમાં સહી કરાવાઈ હતી.&nbsp;<br /><br /></p> <p><br /><img src="https://ift.tt/3rmZ8rF" /></p> <p><strong>કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે અમદાવાદ કોર્પોરેશન આવ્યું એક્શનમાં, શું લીધો મોટો નિર્ણય?</strong></p> <p>અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે અમદાવાદ કોર્પોરેશન ફરી એકવાર એક્શનમાં આવી ગયું છે. ત્રીજી લહેરની આશંકાને પગલે &nbsp;AMCએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.</p> <p>શહેરમાં રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેના ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. બીજી લહેર સમયે કાઢી નાખવામાં આવેલા ડોમ ફરી શરૂ કરાયા છે. અગમચેતીના ભાગરૂપે શહેરમાં નહેરુનગર, વસ્ત્રાપુર, ગોતા, હેબતપુર, ઇન્કમટેક્સ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે.&nbsp;</p> <p>ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.&nbsp;</p> <p><strong>અહીં ન નોંધાયો એક પણ કેસ</strong></p> <p>અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, દાહોદમાં 2, જામનગરમાં 2, બનાસકાંઠા, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે &nbsp;</p> <p>અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, વલસાડ અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.</p> <p><strong>હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર</strong></p> <p>રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 059 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 411 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 406 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,12,499 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રસીકરણનો આંક 3,01,46,996 પર પહોંચ્યો છે.</p> <p><strong>કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત</strong></p> <p>અમદાવાદ શહેરમાં 25, &nbsp;રાજકોટમાં 8, સુરત શહેરમાં 5, દાહોદ, સાબરકાંઠા, આણંદ, મહેસાણામાં 3-3, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 2, પંચમહાલમાં 1, તાપીમાં 1, વલસાડમાં 2 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.</p>

from gujarat https://ift.tt/3Bqawrd

0 Response to "Arvalli : શારીરિક સંબંધ બાંધવાને ઇરાદે સગીરાને યુવક ભગાડી ગયો, પકડાઇ જતાં કેવા થયા હાલ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel