
Banaskantha : અંધશ્રદ્ધામાં કોરોનાના દર્દીનો ગયો જીવ, હોસ્પિટલથી ઘરે લાવી ભુવાએ કરી વિધિ ને પછી....
<p><strong>ડીસાઃ</strong> ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે અને કોરોનાએ અનેક પરિવારના માળા વીખી નાંખ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધામાં કોરોનાના દર્દીનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. ડીસામાં વધુ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. </p> <p>આ અંગે મળતી વિગતો પ્રમામે, ડીસામાં આધેડને કોરોના થતા ભુવાને બોલાવી વિધિ કરી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન કાઢી આધેડને ઘરે લઈ જઈ ભુવા પાસે વિધિ કરાવી હતી. ભુવાએ વિધિ કરી સારુ માતા બધું સારું કરશે. વિધિ બાદ ઓક્સિજન ઘટતા આધેડનું મોત નીપજ્યું હતું. આમ, અંધશ્રદ્ધાએ આધેડનો જીવ લીધો છે. </p> <p>કચ્છથી ભુવા બોલાવી માતાનું છે એવું કહી હોસ્પિટલમાં સારવાર ના લેતા મોત નીપજ્યું હતું. ભુવાનો વિધિ કરતો વિડિઓ વાયરલ થયો છે. <br /><br /></p> <p>રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5,246 નવા કેસ નોંધાયા છે અને 71 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,340 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,001 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. </p> <p> </p> <p><br />રાજ્યમાં અત્યાર સુધી 6,69,490 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92617 પર પહોંચ્યો છે. જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર અને 91875 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.78 ટકા છે. </p> <p> </p> <p><strong>ક્યાં કેટલા કેસ નોંધાયા ?</strong></p> <p> </p> <p>આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1296, વડોદરા કોર્પોરેશન 436, સુરત કોર્પોરેશન-319, વડોદરા 205, જૂનાગઢ 184, રાજકોટ કોર્પોરેશન 168, પંચમહાલ 158, આણંદ 149, જામનગર કોર્પોરેશન 149, રાજકોટ 139, અમરેલી 136,સાબરકાંઠા 133, ગીર સોમનાથ 130, દાહોદ 109, જૂનાગઢ કોર્પોરેશન 109, પોરબંદર 108, કચ્છ 104,ખેડા 99, ભરૂચ 98, મહેસાણા 78, બનાસકાંઠા 77, પાટણ 77, સુરત 71, વલસાડ 66, જામનગર 64, નર્મદા 60 નવસારી 59, દેવભૂમિ દ્વારકા 58, ગાંધીનગર 56,ગાંધીનગર કોર્પોરેશ 56, ભાવનગર કોર્પોરેશન 55, મહીસાગર 50, અરવલ્લી 42, છોટા ઉદેપુર-29, અમદાવાદ 28, સુરેન્દ્રનગર 25, ભાવનગર 22, મોરબી-20, તાપી 16, બોટાદમાં 6, અને ડાંગ 2 કેસ સાથે કુલ 5,246 નવા કેસ નોંધાયા છે. </p> <p> </p> <p> <br /><strong>ક્યાં કેટલા મોત થયા ? </strong></p> <p> </p> <p>આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-6, વડોદરા 3, જૂનાગઢ 4, રાજકોટ કોર્પોરેશન 3, પંચમહાલ 1, આણંદ 3, જામનગર કોર્પોરેશન 4, રાજકોટ 3, અમરેલી 2,સાબરકાંઠા 1, ગીર સોમનાથ 0, દાહોદ 0, જૂનાગઢ કોર્પોરેશન 3, પોરબંદર 1, કચ્છ 1,ખેડા 1, ભરૂચ 3, મહેસાણા 3, બનાસકાંઠા 3, પાટણ 0, સુરત 2, વલસાડ 0, જામનગર 1, નર્મદા 1, નવસારી 0, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 2,ગાંધીનગર કોર્પોરેશ 1, ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 0, અરવલ્લી 1, છોટા ઉદેપુર-0, અમદાવાદ 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 1, મોરબી-0, તાપી 0, બોટાદમાં 0, અને ડાંગ 0 સાથે કુલ 71 મોત થયા છે.</p>
from gujarat https://ift.tt/3wiWXX7
from gujarat https://ift.tt/3wiWXX7
0 Response to "Banaskantha : અંધશ્રદ્ધામાં કોરોનાના દર્દીનો ગયો જીવ, હોસ્પિટલથી ઘરે લાવી ભુવાએ કરી વિધિ ને પછી...."
Post a Comment