થરાદમાં BSF કેમ્પમાં કોરોના વિસ્ફોટઃ 52 જવાનોને થયો કોરોના, જાણો ક્યાંથી આવ્યા હતા?

થરાદમાં BSF કેમ્પમાં કોરોના વિસ્ફોટઃ 52 જવાનોને થયો કોરોના, જાણો ક્યાંથી આવ્યા હતા?

<p><strong>બનાસકાંઠાઃ</strong> થરાદ આવેલા નાગલેન્ડના બીએસએફ જવાનો કોરોના પોઝીટીવ આવ્યા છે. ટોટલ 433 જવાનોના ટેસ્ટ કરતા 52 જવાનો પોઝીટીવ આવ્યા છે. બટાલિયનના 52 જવાનોને થરાદ મોર્ડન સ્કૂલમાં કરાયાં આઇસોલેટ કરાયા છે. જવાનો પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયા છે.&nbsp;</p> <p>નોંધનીય છે કે, નાગાલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને BSFના પ્રોટોકોલ મુજબ અન્ય રાજયમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.<br /><br />ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 74 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે. &nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>અહીં ન નોંધાયો એક પણ કેસ</strong></p> <p>&nbsp;</p> <p>અમદાવાદ અને સુરત શહેરમાં 5-5 કેસ,&nbsp; ભરૂચ અને વડોદરામાં 3-3 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ શહેર, ખેડા,મોરબી, રાજકોટ શહેર, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે. &nbsp;&nbsp; અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, કચ્છ, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-1617272622497-0" class="ad-slot" data-google-query-id="CPCj7-fz8PECFVmfZgId3UIPuQ"> <div id="google_ads_iframe_/2599136/InRead_1x1_Gujarati_0__container__"><strong>હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર</strong></div> </div> </div> </div> <p>રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજારથી વધુ લોકોના &nbsp;રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 998 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 443 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 4347 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,92,953 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રસીકરણનો આંક 2,97,34,497 પર પહોંચ્યો છે.</p> <p><strong>કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત</strong></p> <p>સુરત શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 26, વડોદરા શહેરમાં 4, બનાસકાંઠામાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 6, વલસાડમાં 3, ભાવનગરમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 11, જામનગર કોર્પોરેશનમાં 11, મહેસામાં 1, સુરતમાં 2 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.</p>

from gujarat https://ift.tt/2VP5VOX

0 Response to "થરાદમાં BSF કેમ્પમાં કોરોના વિસ્ફોટઃ 52 જવાનોને થયો કોરોના, જાણો ક્યાંથી આવ્યા હતા?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel