
કચ્છમાં કોરોનાથી કેસોમાં ઘટાડો પણ એક સાથે ૯ મોતથી હાહાકાર
ભુજ,રવિવાર
છેલ્લા ત્રણેક દિવસોથી કચ્છમાં કોરોનાના કેસો ઘટતા જાય છે. ગત રોજ શનિવારે ૧૯૦ કેસો બાદ આજે ઘટીને ૧૮૦ કેસો થયા હતા પરિણામે લોકોએ હળવી રાહત અનુભવી છે તો બીજીતરફ આજે કોરોનાથી ૯ ના મોત થતા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.
આજે કચ્છમાં ૧૮૦ કેસો નોંધાયા હતા જેમાં ભુજમાં કોરોનાનો ફરી વિસ્ફોટ થયો હોય તેમ શહેરમાં ૫૪ કેસો નોંધાયા હતા. તો ગ્રામિણમાં ૨૮ મળીને કુલ ૮૨ કેસો, જયારે અંજારમાં ૩૬ કેસો રેકર્ડ પર ચડયા હતા. શહેરી વિસ્તારમાં ૧૨૪ અને ગ્રામિણમાં ૫૬ કેસો વચ્ચે ૯ ના મોતાથી ફરી ચિંતા વ્યાપી ગઈ છે. તો આજના ૯ મોત સાથે કુલ ૧૫૫ના મોત થયા છે. તો બીજીતરફ એકટીવ પોઝીટીવ કેસો ૧૬૮૭ અને કુલ કેસોનો આંક ૭૨૪૩ પહોંચ્યો છે. આજે ૪૪ દર્દીઓ સ્વસૃથ થયા હતા. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી મોતના સાચા આંકડા છુપાવાઈ રહ્યા છે પરંતુ આજે જે રીતે ૯ દર્દીઓના મોત દેખાડાયા છે તે જોતા મોતનો સાચો આંક કેટલો હશે?
જનરલ હોસ્પીટલમાં ઓકસીજનના અભાવે દર્દીઓ મોતને ભેટે છે તેમજ ખાનગી હોસ્પીટલોમાં બેડના ના મળતા હોવાથી દર્દીઓ અનંતની વાટ પકડી રહ્યા છે તેમ છતા પ્રભારી સચિવ સબ સલામત હોવાનુ જણાવે છે જયારે આજના મોતના આંકડાઓ જોતા જ લોકો ઘણુ સમજુ છે. પ્રજા મુર્ખ નાથી તેમ છતા ચૂંટાયેલા પદાિધકારીઓ હજુ વ્યવસૃથા કરવાને બદલે માત્ર સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા વિનંતી કરે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sQK7gP
0 Response to "કચ્છમાં કોરોનાથી કેસોમાં ઘટાડો પણ એક સાથે ૯ મોતથી હાહાકાર"
Post a Comment