
કોરોના-અપમૃત્યુ અને અકસ્માતના લીધે કચ્છમાં સરેરાશ ૧૦૦થી વધુના મોત!!
ભુજ,રવિવાર
કચ્છમાં કોરોનાથી ખરેખર કેટલા મોત થાય છે? આ સવાલનો સાચો જવાબ મળવો ઘણો જ મુશ્કેલ ભર્યો છે. રેકર્ડ પર કચ્છમાં કોરોનાથી ૫થી ૭ દર્દીઓના મોત થતા હોવાનું બતાવાય છે. તો બીજીતરફ અંતરંગ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભુજ જી.કે.જનરલ હોસ્પીટલમાં ૧૪-૧૫ જેટલા દર્દીઓના મોત થતા હોવાની વાત છે. આ વચ્ચે એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે, કચ્છમાં મૃત્યુ નોંધ જોતા સરેરાશ ૧૦૦થી વધુના મોત નિપજે છે. જેમાં કોરોના, અપમૃત્યુ-અકસ્માત સહિતનો સમાવેશ થાય છે. બીજીતરફ, કોરોના કહેરમાં મૃત્યુ દર વાધતા કોરોનાથી મોત થતા હોવાની લોકોમાં શંકા વધુ પ્રબળ બની છે.
આ અંગે વાત કરીએ કચ્છની કુલ ૨૧ લાખ આસપાસ જેટલી વસ્તી છે. આડા દિવસોમાં રોજે રોજ પચ્ચાસ આસપાસ મોત થતા હોય છે પરંતુ કોરોનાની બીજી લહેર બાદ એટલે કે છેલ્લા એકાદ પખવાડીયાથી મૃત્યુનો દર વાધીને ૧૦૦ આસપાસ પહોંચી જતા લોકોમાં શંકા ઉપજી છે કે આ બાધા મોત કોરોનાથી જ થાય છે. તો બીજીતરફ, આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી પાંચ-સાતના મોતના બનાવો રેકર્ડ પર દેખાડે છે. જયારે વાસ્તવમાં ભુજ જી.કે.જનરલ હોસ્પીટલમાં જ ૧૫ જેટલા દર્દીઓના સરેરાશ મોત થતા હોવાનું ચર્ચાય છે. આ ઉપરાંત તાલુકા માથકે પણ મોત થતા હશે.
એટલે કોરોનાથી ખરેખર કેટલા મોત થાય છે તેની સાચી વિગતો બહાર લાવવી મુશ્કેલ છે. તો બીજીતરફ ભુજના ખારી નદીમાં રોજના વીસેક વ્યકિતઓના અગ્નિ સંસ્કાર કરાતી હોવાની પણ વાત છે. તેવામાં આ પણ હકીકત સાચી છે કે, કચ્છમાં પ્રતિદીન સરેરાશ ૧૦૦થી વધુના મોત થઈ રહ્યા છે. અકસ્માત, અપમૃત્યુ અને કોરોનાના કારણે આ મોત થાય છે. પરંતુ જે રીતે છેલ્લા એક પખવાડીયાથી જે મૃત્યુ દર વધ્યો છે તે જોતા કોરોનાથી મોત થતા હોવાની બાબતને નજર અંદાજ કરી શકાય તેમ નાથી. તમામ તાલુકા માથક-જિલ્લા માથકની સરકારી અને ખાનગી હોસ્પીટલમાં કોરોનાથી કેટલા દર્દીઓના મોત થાય છે તેની સાચી હકીકત બતાવાય તો કચ્છના મૃત્યુદરની વિગતો બહાર આવે. જો કે, રાજય અને કચ્છના વહીવટી તંત્ર માટે આ શરમજનક હોઈ શકે એટલે રેકર્ડ પર સાચી વાસ્તવિકતા દેખાડાતી નાથી અને મોત પર પણ ઢાંક પીછોડો કરવામા ંઆવે છે.
કલેક્ટર પોઝીટીવ આવતા રાજયમંત્રી સહિતના બીજાઓ માટે જોખમી બનશે
જિલ્લા કલેક્ટરનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી આજે પ્રભારી સચિવે આપી હતી ત્યારે જિલ્લાના વહીવટી તંત્રમાં સોંપો પડી ગયો છ. તો બીજીતરફ છેલ્લા કેટલાક દિવસોથી કલેક્ટર સાથે બેઠકોમાં ભાગ લેનારા અને જાહેર જગ્યાએ જનારા રાજયમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ હજુ પણ જાહેરમાં ફરતા હોવાથી અન્ય લોકો માટે જોખમ ઉભુ કરે તેમ છે. ખુદ પદાિધકારીઓ-અિધકારીઓએ પોતાનું ટેસ્ટ કરાવી બીજાને જોખમમાંથી બચાવવા જોઈએ. દરમિયાન, હજુ પણ જિલ્લા કલેક્ટરનો ચાર્જ અન્ય કોઈને સોંપાયો નાથી.
કચ્છમાં સબ સલામતીનો પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાનો ખોખલો દાવો
કચ્છમાં સરેરાશ બસ્સોની આસપાસ પોઝીટીવ કેસ આવી રહ્યા છે. રેકર્ડ પર સાતાથી વધુના મોત થઈ રહ્યા છેે. રેમેડેસીવીર ઈન્જેકશનની અછત છે, ઓકસીજનના બાટલા મળતા નાથી અને વેન્ટીલેટર પણ નાથીે. દર્દીઓને બેડ મળતા નાથી તેમ છતા કચ્છની મુલાકાતે પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાએ કચ્છમાં સારવાર મામલે સબ સલામત હોવાનો ખોખલો દાવો કર્યો હતો.
કચ્છમાં કોરોનાથી ખરેખર કેટલા મોત થાય છે તે અંગે પુછાતા તેમણે સાચી માહિતી આપવાને બદલે રેકર્ડની વાત પકડી પાડી હતી અને વધુ કંઈ પણ કહેવાનું ટાળ્યુ હતુ. રેમડેસિવીર ઈન્જેકશનનો પુરતો જથૃથો છે, પુરતા બેડ અને ઓકસીજનની વ્યવસૃથા હોવાના ગાણા ગાયા હતા.
ખુદ કલેક્ટર પ્રવિણા ડી.કે.કોરોનાગ્રસ્ત
કચ્છ કલેક્ટર પ્રવિણા ડી.કે. છેલ્લા બે દિવસાથી હોમ આઈસોલેટ હતા. તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી તેવામાં તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લાના વહીવટી તંત્રમાં સોપો પડી ગયો છે. અત્યાર સુાધી તેમની સાથે બેઠકોમાં ભાગ લેનારા અિધકારીઓ, તેમને મળનારા કર્મચારીઓ વિગેરે ચિતામાં આવી ગયા છે. અને પોતાનો રિપોર્ટ કરાવવા લાગ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aEwOtu
0 Response to "કોરોના-અપમૃત્યુ અને અકસ્માતના લીધે કચ્છમાં સરેરાશ ૧૦૦થી વધુના મોત!!"
Post a Comment