
સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે માંડવી સજ્જડ બંધ
ભુજ,રવિવાર
કચ્છમાં વાધતા જતા કોરોનાના વ્યા૫ને ઘટાડવા માટે જિલ્લાભરમાં સ્વૈચ્છિક લોકડાઉનની પહેલ શરૃ કરવામાં આવી છે. ભુજમાં ત્રણ દિવસ અને મુંદરામાં પાંચ દિવસ ઉપરાંત આજાથી માંડવીમાં આજાથી પાંચ દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રારંભ થયો હતો. લોકડાઉનના પ્રાથમ દિવસે માંડવી શહેર સજ્જડ બંધ રહ્યો હતો. જયારે ગ્રામિણ વિસ્તારમાં સાત દિવસ બંધ રખાશે.
માંડવી શહેર અને ગ્રામિણ વિસ્તારમાં કોરોનાની ચેન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસિૃથતીમાં લેવાયા બાદ આજે પ્રાથમ દિને સવારાથી જ દુાધ અને દવા સિવાયની તમામ સેવા બંધ રહી હતી. બજારોમાં બંધની જડબેસલાક અસર જોવા મળી હતી. ખુદ વેપારીઓએ જણાવ્યુ હતુ કે, ઘરોઘર જયારે માંદગીના ખાટલા મંડાયા છે ત્યારે કોરોનાની ચેન તોડવી જરૃરી છે અને તેને ધ્યાને રાખીને માંડવીના વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનમાં સહમત થયા છે.
માંડવીની શાકમાર્કેટ, કે.ટી.શાહ રોડ, સોના ચાંદી બજાર, કંસારા બજાર, સાંજી પડી, મચ્છી પીઠ, લાયજા રોડ, આઝાદ ચોક, ભીડ બજાર, એસ.ટી રોડ, જી.ટી રોડ વિગેરે વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. શહેરના અલગ અલગ એસો.હોદેદારો, ચેમ્બર ઓફ કોમર્સ, મરચન્ટ એસો. દ્વારા બેઠકમાં સ્વૈચ્છિક લોકડાઉન માટે મંજુરી આપી હતી. અને આજે બંધ રહેતા સર્વે નાના મોટા તમામ વેપારીઓનો આભાર વ્યકત કર્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ezejYu
0 Response to "સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે માંડવી સજ્જડ બંધ"
Post a Comment