
મુંદરાના મુખ્ય બજારમાં સવારે આગ લાગતા વેપારીઓ દોડી આવ્યા
મુંદરા,તા.૧૫
મુંદરા શહેરના માંડવી ચોક વિસ્તારમાં કંદોઈ બજારની નજીક મેઈન બજારમાં અવાવરુ ખંડેર પરીસરમાં આજે સવારે ૭.૩૦ કલાકના અરસામાં અચાનક આગ ભભુકી ઉઠતા આસપાસ દુકાનો ધરાવતા વેપારીઓ દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ આ ખંડેર જેવો પ્લોટ મુખ્ય બજારમાં આવેલો છે અને વર્ષોથી બંધ હાલતમાં છે. વેપારીઓના જણાવ્યા મુજબ ઘણાવર્ષો પહેલા અહીં કન્યાશાળા હતી અને બાદમાં અહીં પીડબલ્યુડીની કચેરી હતી. પરંતુ સમયજતાં આ કચેરી બંધ રહેતા હાલે ખંડેર બની ગઈ છે. આજે સવારે અહીં આગના ગોટા નજરે પડતા આસપાસના લોકો અને વેપારીઓમાં નાશભાગ મચી ગઈ હતી. ખાનગી કંપનીના ફાયર ફાઈટરને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી. ૨ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. સમય સુચકતા વાપરતા મુખ્ય બજારમાં લાગેલી આગને વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું ન હતું જેાથી દુાર્ધટના ટળી હતી.
ફાયર ફાઈટર પહોંચે તે પહેલા વેપારીઓના શ્વાસ અધૃધર થઈ ગયા હતા. લોકોના જણાવ્યા મુજબ પરીસરમાં જ્યાં સુકો કચરો હતો ત્યાં સુાધી આગ પહોંચી ન હતી ,નહીં તો વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હોત. સૃથાનિક આગેવાનોએ વેપારીઓને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે, પીડબલ્યુડી કચેરીમાં જુનો કચરો સાફ કરવા અને ભંગાર દુર કરવા અરજી કરાશે. ઉલ્લેખનીય છે કે, થોડામાસ અગાઉ મુંદરાના ભાટિયા ચોક નજીક આગ લાગી હતી, તે પણ બંધ મકાન અને ખંડેર વિસ્તાર હતો. શહેરના આ વિસ્તારોના માલિકોને નોટીસ આપીને આગ લાગે તેવો સામાન દુર કરવા અને જોખમી ચીજવસ્તુઓ સાફ કરાવાય તેવી માંગણી કરાઈ હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lkNbzv
0 Response to "મુંદરાના મુખ્ય બજારમાં સવારે આગ લાગતા વેપારીઓ દોડી આવ્યા"
Post a Comment