
કચ્છના ટ્રાવેલ્સ ઉદ્યોગને હજુ કોરોનામાંથી કળ વળતી નથી
ભુજ, સોમવાર
ગતમાર્ચમાં વૈશ્વિક મહામારીમાં સંક્રમણ અટકાવવા તકેદારી રૃપે લોકડાઉન અમલી થયા બાદ અનલોકમાં તબક્કાવાર જનજીવન થાળે પડી રહ્યું છે. પરંતુ વેપાર ઉદ્યોગ ઉપર પણ એમની માઠી અરસ થઈ છે. હજુ કોરોનાના કેસમાં પુનઃ ઉછાળો આવ્યો છે. ત્યારે લોકોએ પોતાના મોજ-શોખ તેમજ ખરીદ શક્તિ પર અકુંશ મુકી દીધો છે. કચ્છના ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગની હાલત મરણ પાથારીએ પહોંચી ગઈ છે.
આ અંગેની વધુ વિગતો મુજબ કચ્છમાં ભૂકંપ બાદ ઔદ્યોગિક અને પર્યટન ક્ષેત્રે નોંધપાત્ર થઈ રહ્યો હોઈ કચ્છાથી આંતર જિલ્લાઓ તેમજરાજ્યોમાં અવર-જવર કરનારા લોકોની સંખ્યા પણ વધુ રહેતી હોય છે. ખાનગી ટ્રાવેલ્સ મારફતે પણ હજારો લોકો મુસાફરી કરતા હોય છે જોકે કોવિડ-૧૯ મહામારીના પગલે લોકો કામ વગર મુસાફરી ટાળી રહ્યા હોઈ ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગના ધંધા પર પણ ખુબ માઠી અસર પડી છે. લોકડાઉન દરમિયાન મહિનાઓ સુાધી ટ્રાવેલ્સના પૈડા થંભેલા રહ્યા હતા.
સરકાર તરફાથી છુટ-છાટ અપાયા બાદ ટ્રાવેલ્સો તો ચાલુ થઈ પરંતુ પ્રવાસીઓ તે બાદાથી હજુ સુાધી મર્યાદિત સંખ્યામાં જ મળી રહ્યા હોઈ અનેક વખત તો બસના રૃટ બંધ કરવા સહિતની નોબત સર્જાતી હોય છે. અમુક નાના ટ્રાવેલ્સ સંચાલકોએ તો અમુક રૃટ બંધ જ કરી દીધા છે. હાલે પેટ્રોલ-ડિઝલના ભાવ પણ આસમાને હોઈ જેઓ ગાડી ચલાવી રહ્યા છે. તેઓ પણ માત્ર પેટ્રોલ-ડિઝલના ખર્ચા માંડ કાઢતા હોવાનો બળાપો ઠાલવી રહ્યા છે તાથા ટેક્ષ-વિમાનુ ચક્ર ચાલુ રહેતા ટ્રાવેલ્સ માલિકો આિાર્થક બોજ તળે દબાઈ રહ્યા છે. ખર્ચાઓ પર કાપ મુકવા વાધારાના ડ્રાઈવર-કલીનર સહિતનાને છુટા કરવાની નોબત આવતા આ ક્ષેત્ર સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ સંકળાયેલા હજારો લોકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ ઉભો થતા અનેક લોકો ગુજરાન ચલાવવા અન્ય ક્ષેત્ર તરફ વળ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PZf8Bk
0 Response to "કચ્છના ટ્રાવેલ્સ ઉદ્યોગને હજુ કોરોનામાંથી કળ વળતી નથી"
Post a Comment