૧૩ વર્ષથી ટેક્સ ભરવા પાલિકાને દાદ ન આપતા શહેરવાસીઓ પર તવાઈ

૧૩ વર્ષથી ટેક્સ ભરવા પાલિકાને દાદ ન આપતા શહેરવાસીઓ પર તવાઈ

ભુજ, સોમવાર 

ભુજસુાધરાઈ દ્વારા માર્ચ અંત નજીક આવતા કડક વલણ અપનાવાયું છે. જે  બાકીદારો વર્ષોથી સુાધરાઈની  નોટીસોને દાદ આપતા નાથી તેઓના કનેક્શન કાપવાની કામગીરી શરૃ કરાઈ હતી. જે અનુસંધાને આજે ૧૪ કનેક્શન કાપી નખાયા હતા.

આ અંગે ટેક્સ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ભુજમાં ૧૩ વર્ષાથી વેરા ન ભરનારા બાકીદારો પર તવાઈ બોલાવાઈ હતી. શહેરના પ્રમુખસ્વામી નગર, સહયોગ નગર ,કારીતાસ નગર વગેરે એરીયામાં  કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લાખોના વેરા જે લોકોના બાકી હતા તેઓના પાણી અને ગટરના કનેકશન કાપી નખાયા હતા. જેના કારણે અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. સુાધરાઈએ લાલ આંખ કરતા એક જ દિવસમાં ૧૫ લાખની સીધી આવક નોંધાઈ હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ૧૩ કરોડનો આ વર્ષનો લક્ષ્યાંક છે જેમાંથી અત્યારસુાધી ૧૦ કરોડની વસુલી થઈ ગઈ છે. આગામી ૧૫ દિવસમાં ૩ કરોડ જેટલી રકમ તિજોરીમાં જમા થઈ જશે. મોટાભાગે સરકારી કચેરીઓના વેરા તગડા હોવાથી મોટા ચેક આવતા લક્ષ્યાંક પુર્ણ થઈ જશે. 




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qQmVhC

0 Response to "૧૩ વર્ષથી ટેક્સ ભરવા પાલિકાને દાદ ન આપતા શહેરવાસીઓ પર તવાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel