
સુરેન્દ્રનગરમાં પરિવારને માર મારી મકાન પર કબજો કર્યાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં ગુંડાતત્વો તેમજ માથાભારે શખ્સોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે શહેરના મીયાણાવાડ વિસ્તારમાં રહેતાં એક પરિવારનું મકાન સળગાવી અવાર-નવાર ધમકી અને મારમારી હેરાન પરેશાન કરતાં ભોગ બનનાર પરિવારે જીલ્લા પોલીસવડાને લેખીત રજુઆત કરી હતી અને અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મીયાણાવાડ વિસ્તારમાં રહેતાં યાકુબભાઈ સહિત પરિવારજનોને આજ વિસ્તારમાં રહેતાં શખ્સો નાજીર ઉર્ફે વલ્લો, રફીક ઉર્ફે નાનો વલ્લો, યાસીન હબીબભાઈ માણેક, રમઝાન હબીબભાઈ માણેક, અસ્લમ ઈસાકભાઈ, રાજા હબીબભાઈ માણેક સહિત અમીના, શબા, મુન્નીબેન, પીન્કી હબીબભાઈ સહિતનાઓ દ્વારા એકસંપ થઈ મારમારી ઘર સળગાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ અંગે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. તેમ છતાંય પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી અને તમામ શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે મકાન પર કબ્જો કરી લેવામાં આવતાં ભોગ બનનાર પરિવારના સભ્યોએ જીલ્લા પોલીસવડા કચેરી ખાતે પહોંચી પોલીસવડાને લેખીત રજુઆતો કરી હતી અને અસામાજીકતત્વો સામે કડક કાર્યવાહી કરી મકાન પરનો કબ્જો ખુલ્લો કરવાની માંગ કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cl6xjW
0 Response to "સુરેન્દ્રનગરમાં પરિવારને માર મારી મકાન પર કબજો કર્યાનો આક્ષેપ"
Post a Comment