
ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હેવી વીજલાઈન-થાંભલા નાખવાનો વિરોધ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી હાલ વિજલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ કામગીરી ગેરકાયદેસર રીતે અને આડેઘડ ખોદકામ કરવામાં આવતાં ખેડુતોને મોટાપાયે નુકશાન પહોંચી રહ્યું છે ત્યારે આ મામલે મહિલા આગેવાન સહિત અલગ-અલગ ગામોના ખેડુતોએ જીલ્લા કલેકટરને લેખીત રજુઆતો કરી હતી અને તાત્કાલીક કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાકડીયા-વડોદરા ટ્રાન્સમીશન પ્રોજેક્ટ સ્ટરલાઈટ પાવર કંપની દ્વારા ૭૬૫ કે.વી.ની ટ્રાન્સમીશન લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે જેમાં કંપનીના અધિકારીઓ દ્વારા ખોટી રીતે કાયદો હાથમાં લઈ ખેડુતોના ખેતરોમાં ઉભો પાક હોવા છતાં પાકને નુકશાન પહોંચે તે રીતે વિજથાંભલા નાંખવાની કામગીરી ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે કંપની દ્વારા કોઈપણ જાતના વળતર વગર આડેઘડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેડુતોને પુરતી વળતરની રકમ ચુકવવામાં ન આવે ત્યાં સુધી કંપની દ્વારા કામગીરી બંધ રાખવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને લેખીત રજુઆતો કરી હતી. આ તકે મહિલા આગેવાન ઈલાબા સહિત ધ્રાંગધ્રા તાલુકાના અલગ-અલગ ગામોના ખેડુતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ જીલ્લા કલેકટરે યોગ્ય રીતે રજુઆત ન સાંભળી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t2fJAw
0 Response to "ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હેવી વીજલાઈન-થાંભલા નાખવાનો વિરોધ"
Post a Comment