
લખતર તાલુકાના અંકેવાળિયામાં ઢોર ચરાવવા અંગે શખ્સ પર હુમલો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નજીવી બાબતે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામની સીમમાં એક શખ્સને ઢોર ચરાવવા જેવી બાબતનું મનદુઃખ રાખી મારમારી ગભંરી ઈજાઓ પહોંચાડયા અંગે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે રહેતા ફરિયાદી દિલપભાઈ મુળજીભાઈ પટેલની માલીકીના ખેતરમાં ધ્રાંગધ્રા તાલુકાના સરવાળ ગામે રહેતાં દશરથભાઈ કાનજીભાઈ રબારી પોતાના માલ, ઢોર, ચરાવતાં હતાં આથી ફરિયાદીએ ઢોર ચરાવવાની ના પાડતાં અને ખેતરમાંથી બહાર લઈ જવાનું જણાવતાં દશરથભાઈએ બોલાચાલી કરી લાકડી તેમજ ઢીકાપાટુ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છુટયો હતો જે અંગેની જાણ થતાં આસપાસના ખેડુતો આવી પહોંચ્યા હતાં અને ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જે મામલે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38qHavV
0 Response to "લખતર તાલુકાના અંકેવાળિયામાં ઢોર ચરાવવા અંગે શખ્સ પર હુમલો"
Post a Comment