
સુરેન્દ્રનગર વિઠ્ઠલપ્રેસ રોડ પર દેરાસર ચોકમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ
- તંત્રની નબળી કામગીરીના કારણે હજારો લિટર પાણી વેડફાઈ જતાં નાગરિકોમાં જાગેલો વ્યાપક રોષ
સુરેન્દ્રનગર, તા.૨૨
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં પાલીકા તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે પરંતુ અમુક વિસ્તારોમાં તંત્રની બેદરકારી અને અણઆવડતના કારણે લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે શહેરની મધ્યમાં દેરાસર ચોક વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારી સામે આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ વોર્ડ સહિત રહેણાંક વિસ્તારોમાં રોડ, રસ્તા, પીવાનું પાણી, ગટર, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
પરંતુ શહેરના અમુક વોર્ડમાં તંત્રની બેદરકારી અને અણઆવડતના કારણે પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે શહરેની મધ્યમાં આવેલ વિઠ્ઠલપ્રેસ રોડ દેરાસર ચોકમાં તંત્રની નબળી કામગીરીના કારણે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર તેમજ રોડની સાઈડ પર પાણી ફરી વળતાં સ્થાનીક દુકાનદારો અને વેપારીઓને હાલાકી પડી હતી તેમજ ભર ઉનાળે પાણીનો બગાડ થતાં તંત્રની કામગીરી સામે પણ રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર દ્વારા સમગ્ર વિશ્વમાં જળ દિવસની ઉજવણી કરી પાણી બચાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ તંત્રની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતાં વેપારીઓ, દુકાનદારો સહિત શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f53hfv
0 Response to "સુરેન્દ્રનગર વિઠ્ઠલપ્રેસ રોડ પર દેરાસર ચોકમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ"
Post a Comment