
સાયલાના ખોડિયારપરા વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી અરેરાટી
સાયલા : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર રાષ્ટ્રીય પક્ષી એવાં મોરના શંકાસ્પદ હાલતમાં તેમજ શોટસર્કિટથી મોતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા શહેરી વિસ્તારમાં શોટસર્કિટથી મોરનું મોત નીપજતાં સ્થાનીક રહિશોએ વન વિભાગની ટીમને જાણ કરી હતી આથી ટીમના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને નિયમ મુજબ મોરનો અગ્નિ સંસ્કાર કર્યો હતો.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલાના ખોડીયારપરા વિસ્તારમાં અચાનક રાષ્ટ્રીય પક્ષી એવાં મોરનું શોટસર્કિટથી મોત નીપજતાં આસપાસના સ્થાનિક રહિશો દ્વારા આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી હતી. આથી ટીમના નિહારીકાબેન પંડયા, ભવાનીસિંહ જાદવ સહિતનાઓ આવી પહોંચ્યા હતાં અને મૃત મોરનો કબ્જો લઈ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું જેમાં પણ શોટસર્કિટના કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. આથી નિતિ નિયમ મુજબ અને પ્રોટોકોલ પ્રમાણે રાષ્ટ્રી પક્ષી મોરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે રાષ્ટ્રીય પક્ષીના મોતથી પક્ષીપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wcUXjY
0 Response to "સાયલાના ખોડિયારપરા વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી અરેરાટી"
Post a Comment