અંજારના વધુ બે પોલીસ કર્મીઓને સસ્પેન્શનનો ઝટકો અપાયો

અંજારના વધુ બે પોલીસ કર્મીઓને સસ્પેન્શનનો ઝટકો અપાયો

ગાંધીધામ, તા. ૧૦

ખેડોઈ તાથા મેઘપર-બોરીચીમાંથી ઝડપાયેલા લાખોની કિંમતના દારુ પ્રકરણમાં વધુ બે પોલીસ કર્મીઓની વિકેટ પાડી દેવામાં આવી છે. હજુ આવનારા સમયમાં કોનો કોનો ભોગ લેવાશે તેના પર પોલીસ બેડાની મીટ મંડાયેલી છે.

ખેડોઈ અને મેઘપર-બોરીચી દારુકાંડ હજુ કેટલાને નડશે તે પર પોલીસ બેડાની નજર મંડાઈ છે

ખેડોઈમાંથી ૬.પ૧ લાખ અને મેઘપર-બોરીચીમાંથી ૩ લાખ ઉપરાંતનો દારુ ઝડપી લેવામાં આવ્યા બાદ, આરઆર સેલની કામગીરી બીરદાવવામાં આવી હતી તો બીજી તરફ અંજારના પોલીસ સ્ટેશનમાં કોની જવાબદારી ફીક્સ કરવામાં આવે છે તે સવાલ ઉઠયા હતા. દરમ્યાન તપાસ બાદ બોર્ડર રેન્જ આઈજી મોથાલીયાની સૂચનાના પગલે પૂર્વ કચ્છ-ગાંધીધામના એસપી મયુર પાટીલ દ્વારા અંજાર પોલીસના સહાયક ફોજદાર કિશોરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ સુરુભા ઝાલાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભચાઉ અને સામખિયાળી પાસેાથી લાખોનો શરાબનો જથૃથો મળી આવ્યો છે તે અનુસંધાને હવે ભચાઉ અને સામખિયાળી પોલીસ માથકમાંથી કોની વિકેટ પાડવામાં આવે છે તેના પર સૌની નજર છે. કચ્છના પ્રવેશદ્વારા સમા આ માથકોમાં દારુના વેપલા સબંધે અનેકાતીત ફરિયાદો ઉઠતી રહી છે તે પણ એક ખાસ બાબત છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t95sCy

0 Response to "અંજારના વધુ બે પોલીસ કર્મીઓને સસ્પેન્શનનો ઝટકો અપાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel