
પાનકાર્ડના આધારે ખોટો જીએસટી નંબર મેળવી ૧ર કરોડની ઠગાઈ કરાઈ
ગાંધીધામ, તા. ૧૦
ગાંધીધામ ખાતે કોઈ શખ્સે ભાવનગરની વેપારી પેઢીનો પાન કાર્ડ નંબર મેળવી લઈ ૧ર કરોડ ઉપરાંતની ઠગાઈ કરતાં આ વિરુધૃધ ગાંધીધામ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. સાયબર ક્રાઈમ સહિતની કલમો હેઠળ નોંધાયેલી આ ફરિયાદની તપાસ ગાંધીધામ એ-ડિવિઝન ચલાવી રહી છે.
ભાવનગરના શિહોર ખાતે ફેક્ટરી ધરાવતા માલિકે કરી ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર ખાતે રહેતા અને સ્ટીલ પ્રોડક્ટ્સનો વ્યવસાય કરતા વેપારી હરેશ કુંવરજી ધનાણી (પટેલ) એ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ માથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગાંધીધામની અલાવદી મેટલના નામાથી સૃથપાયેલી કંપનીએ ફરિયાદીના પાનકાર્ડના આાધારે બોગસ જીએસટી એકાઉન્ટ ખોલાવી, કુલ રુ ૧ર,ર૬,૧૯,૪૧૦.૯૦ નો ઘપલો કરી દીધેલ છે જે તેમના નામે બોલતો થયેલ છે અને આમ, ફરિયાદીની શાખ અને તેમના રેગ્યુલર એકાઉન્ટને જફા પહોંચાડવામાં આવી છે. જીએસટી પોર્ટલ પર ફ્રોડ કરનાર પાર્ટીનો મોબાઈલ નંબર પણ દર્શાવવામાં આવ્યો હતો જે પોલીસ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. ફરિયાદીની રજુઆત બાદ જીએસટી પોર્ટલ પરાથી આ એકાઉન્ટ જો કે સુઓમોટો પ્રકારે રદ્દ થયેલ છે. આ રીતે ફરિયાદી અને સરકારી પોર્ટલને અંધારામાં રાખીને કરવામાં આવેલ ગેરકાયદેસરના વ્યવહારોને લઈ ફરિયાદીને અને સરકારને નુકસાન થયું હોવાનું લખાવાયું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3erM3bT
0 Response to "પાનકાર્ડના આધારે ખોટો જીએસટી નંબર મેળવી ૧ર કરોડની ઠગાઈ કરાઈ"
Post a Comment