૪૦૦ વર્ષ જુના પુઅરેશ્વર મહાદેવ મંદિરનો જીણોધ્ધાર ના થવાથી શિવ ભક્તો નારાજ

૪૦૦ વર્ષ જુના પુઅરેશ્વર મહાદેવ મંદિરનો જીણોધ્ધાર ના થવાથી શિવ ભક્તો નારાજ

  આણંદપર(યક્ષ)તા.૧૦

 ભુજ-નખત્રાણા હાઇવે પર અને ભુજાથી ૩૬ કી.મી.અને નખત્રાણાથી ૧૬ કી.મી.ના અંતરે નખત્રાણા તાલુકામાં આવેલ પુઅરેશ્વર મહાદેવ નું મંદિર લાખાડી ની હદમાં આવેલ છે.આ મંદિર સદીઓ પુરાણું છે.આ મંદિર દિવસેને દિવસે જર્જરિત થતુ જય છે.ભક્તો અને દાતાઓ દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવે છે.તેમજ કચ્છ મોરબીના સાંસદએ આ મંદિરનો પ્રશ્ન દિલ્હીમાં સંસદ ભુવનમાં ઉઠાવ્યો હતો.જેને આજે ચાર વર્ષ જેટલો સમય થવા આવ્યો છે.તેમજ અહીં શિવ કાથા વખતે રાજકીય આગેવાનો આવીને મંદિરનો જીણોધૃધાર કરી આપવાના વચનો આપ્યા હતા.પણ હજુ સુાધી વાયદાઓ અને કામો પુરા થયા નાથી.

આ મંદિરનો ઈતિહાસ ચારસો વર્ષ ઉપરનો છે. જે દ્રવિડ અને નાગર શૈલીના ઘટકોને જોડતું આ મંદિર કચ્છના મંદિરોમાં જૂનામાં જુનુ મંદિર મનાય છે.દંતકાથા(લોકકાથા) પ્રમાણે ઇ.સ.નવમી સદીનો બનેલો છે તે વખતના નજીકના પધૃધર ગઢના સૃથાપક રાપુઅરા રાજાએ બનાવેલ તેાથી તેનું નામ પુઅરેશ્વર પડયું કહેવામાં આવે છે કે રાપુઅરા ભુજ તાલુકામાં આવેલ કેરાકોટના સૃથાપક લાખા ફુલાણીના ભત્રીજા હતા. તેમના કાકા લાખા ફુલાણી કેરાકોટમાં મંદિર બનાવેલ પણ તેમના ભત્રીજા રાપુઅરા એ તે મંદિરમાં ખામી કાઢી હતી.તેાથી રાપુઅરાના કાકા લાખા ફુલાણીએ તેમને કહેલું ખામી કાઢવી સહેલી છે આવું મંદિર બનાવીને તો જો આમ રાપુઅરા ને લાગી આવતા તેાથી રાપુઅરા પોતાને સાચું સાબિત કરવા અહીં એવુંને એવું(કેરાકોટ)જેવું મંદિર બનાવેલ.બીજી દંતકાથા પ્રમાણે રાપુઅરાની સગાઈ સિંધ પ્રાતમાં થયેલ પણ જેમનાથી સગાઈ થઈ એવા રાણી રજૈયા દેવી પરમ શિવભક્ત હતા અને તે પોતાના ભગવાન શિવને મુકીને જવા માંગતા ન હતા.તેાથી તેવોએ રાજા સામે એવી શર્ત મુકેલી કે ભગવાન શિવ તેમની સાથે આવશે તોજ તેની સાથેજ લગ્ન કરશે તેાથી રાપુઅરાએ પણ તેમના રાણી સામે એવી શર્ત મુકેલી કે રાણી સાથે શિવમંદિર સાથે જશે પણ પાછા વળીને જોવું નહીં.રાણીના લગ્ન થયા અને શિવમંદિર રાણીની વેલ પાછળ આવવા લાગ્યું.જ્યારે પધૃધર ગઢ પહોંચ્યા તો ત્યાં જોયુંકે ગઢનો દ્વાર નાનું હતું અને મંદિર વીશાળ  મોટું એટલે રાણી (રાજેયા)ને લાગ્યું કે આમંદિર અંદર આવશે કે કેમ એટલે રાણીએ પાછું વળીને જોયું એટલે કહેવાય છેકે મંદિર પધૃધર ગઢાથી બહાર જ રહી ગયું આમ આ મંદિર ની બે દત કાથા છે

 હાલ આ મંદિર જર્જરીત હાલતમાં અડીખમ ઉભું છે અને બે હજારની સાલમાં ધરતીકંપનો પણ માર ખાધો છે છતાં પણ એકબીજા પથૃથરના સહારે ઊભેલુ છે.ગત ૨૦૧૯ના ઓગસ્ટ માસમાં આ મંદિરના પટાંગણમાં ડેપ્યુટી કલેકટર, મામલતદાર, ગાંધીનગરાથી આવેલ બે અિધકારીઓ તેમજ આજુબાજુના ગામના તલાટી.સરપંચો તેમજ આગેવાનો દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.પુરાતત્વ ખાતા દ્વારા આ મંદિરને નવું બનાવવાનું અને પ્રવાસન સૃથળ બનાવવા માટે ની મજુરી આપવામાં આવી હતી જેમા પ્રાથમ તબક્કામાં અઢી કરોડની પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

અબડાસાના ધારા સભ્ય દ્વારા અવારનવાર રજુઆત કરવામાં આવતા હાલ આ મંદિરના પટાંગણ તેમજ બાજુના મેદાનમાં બાવળની સફાઈ કરવામાં આવી હતી.અને આટલું કામ કરીને સંતોષ માન્યો હતો.છતા પણ આજ સુાધી કામ શરૃ ના થતા અને જે વાયદાઓ કર્યા હતા તે હવામાં ઉડી જતા શિવ ભક્તો માં નારાજગી જોવા મળી રહી છે.

હાલ આ મંદિરના મહંત સ્વામી શંકરાનંદગીરીજી-ગુરૃ સંતોકા નંદગીરીજી જેઓ આજે સો વર્ષાથી ઉપરના થયા છે.હજુ પણ હૈયાત છે.હાલ આ મંદિરની સેવા તેમના શિષ્ય દ્વારા કરવામાં આવી રહી છે.શિવ ભક્તો આ મંદિર ક્યારે નવું બનશે તેની રાહ જોઈ રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rG9zpu

0 Response to "૪૦૦ વર્ષ જુના પુઅરેશ્વર મહાદેવ મંદિરનો જીણોધ્ધાર ના થવાથી શિવ ભક્તો નારાજ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel