ચેતજોઃ કચ્છમાં કોરોના વકર્યો ૧૪ નવા કેસો નોંધાયા

ચેતજોઃ કચ્છમાં કોરોના વકર્યો ૧૪ નવા કેસો નોંધાયા

ભુજ, બુધવાર

રાજયમાં કોરોનાના કેસો ઝડપભેર વાધી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ પોઝીટીવ કેસો ઉંચકાતા આજે નવા ૧૪ કેસો નોંધાયા હતા. જેમાં શહેરી વિસ્તારમાં ૮ અને ગ્રામિણમાં ૬ કેસો નોંધાયા હતા.

આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં અંજાર શહેરમાં ૧, ભુજમાં ૩, ગાંધીધામ શહેરમાં ૩, માંડવીમાં ૧ તેમજ અંજાર તાલુકામાં ૧, મુંદરા તાલુકામાં ૨ અને રાપર તાલુકામાં ૩ કેસોનો ઉમેરો થયો હતો. એકટીવ પોઝીટીવ ૧૧૪ કેસો સાથે કુલ કેસોની સંખ્યા ૪૭૭૭ થઈ છે. જયારે ૧૧  દર્દીઓ સ્વસૃથ થયા હતા.  છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના સામાન્ય સાતાથી આઠ કેસો નોંધાઈ રહ્યા હતા તેવામાં એકાએક ૧૪ કેસો નોંધાતા હવે ચેતવા  જેવુ છે. તો બીજીતરફ રાતોરાત પોઝીટીવ કેસોની સંખ્યા વાધતા ટેસ્ટની સંખ્યા વાધારી દેવાઈ હોવાની ચર્ચા છે.

અબડાસા તાલુકાના  ૪ વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

અબડાસા તાલુકાના નારણપર ગામના ભટૃ ફળીયાને તા.૨૮/૩ સુાધી, અબડાસા તાલુકાના જંગડીયા ગામના હરબડા ફળીયાને તા.૨૭/૩ સુાધી, અબડાસા તાલુકાના મુખ્ય માથક નલીયાના બાલાજી કોમ્પલેક્ષ અને વૃજાધામ સોસાયટી તા.૨૯/૩ સુાધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cI8CH0

0 Response to "ચેતજોઃ કચ્છમાં કોરોના વકર્યો ૧૪ નવા કેસો નોંધાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel