
હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે દ્વારકાધીશનું મંદિર ખુલ્લું રાખવા માલધારી સમાજની માંગ
સુરેન્દ્રનગર : સમગ્ર દેશમાં હોળી અને ધુળેટીના તહેવારનું વિશેષ તેમજ પરંપરાગત રીતે મહત્વ રહેલું છે ત્યારે ચાલુ વર્ષે દ્વારકા ખાતે આવેલ મંદિર કોરોના મહામારીના કારણે બંધ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે ગુજરાત માલધારી સેના દ્વારા જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી હતી અને અન્ય તહેવારમાં મંદિર ખુલ્લુ રાખવાની માંગ કરવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિત મુજબ હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું અનોખું અને વિશેષ મહત્વ રહેલું છે જેમાં હોળી અને ધુળેટીના તહેવારને પણ સમગ્ર દેશ સહિત લોકો ભવ્ય રીતે ઉજવણી કરતાં હોય છે તેમજ ફાગણ મહિનાની પુનમને દિવસે દર્શનનું પણ મહત્વ રહેલું છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા દ્વારકાધીશ ખાતે ખાવેલ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે માલધારી સમાજ સહિત કૃષ્ણભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ મામલે ગુજરાત માલધારી સેના દ્વારા જીલ્લા કલેકટરને લેખીતમાં રજુઆતો કરી હતી.
જેમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દ્વારકાધીશનું મંદિર ખુલ્લુ રાખવામાં આવે તથા માલધારી સમાજ અને સમસ્ત હિન્દુ સમાજને દર્શનનો લહાવો મળે તે માટે મંદિર ખુલ્લુ રાખવાની માંગ કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી હોળી અને ઘુળેટીના તહેવાર પર દ્વારકા ખાતે શ્રધ્ધાળુઓ પગપાળા તેમજ દર્શનાર્થે ઉમટી પડે છે તેમજ આ મંદિર લાખો કૃષ્ણભક્તોની આસ્થા અને શ્રધ્ધા સાથે જોડાયેલ છે ત્યારે સરકારની કોરોનાની ગાઈડ લાઈન મુજબ માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ અને સુરક્ષા સાથે રાબેતા મુજબ દ્વારકાધીશનું મંદિર ખુલ્લુ રાખવામાં આવે તેવી માંગ કરી હતી.
આ અંગે માલધારી સમાજના સ્થાનીક આગેવાનો સતીષભાઈ ભરવાડ, સુખાભાઈ ભરવાડ, ભરતભાઈ બોડીયા સહિત માલધારી સમાજના અગોવાનો, યુવાનો અને કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qu6U4r
0 Response to "હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે દ્વારકાધીશનું મંદિર ખુલ્લું રાખવા માલધારી સમાજની માંગ"
Post a Comment