
પાટડીના નારણપુરા ગામે વિશ્વ ક્ષયદિવસની ઉજવણી કરાઈ
પાટડી : સમગ્ર દેશ સાથે તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વિશ્વ ક્ષય દિવસ (ટી.બી.)ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.
પાટડી તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા પણ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે નારણપુરા ગામે કાનુની શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટડી ટીડીઓ બી.જી.સોલંકી, દસાડા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ ડોડીયા, નરેન્દ્રસિંહ મકવાણા, ડો.જાનકીબેન કલોલા, ડો.ખુશ્બુબેન ભટ્ટ, મેડીકલ ઓફીસર સી.એચ.સી. પાટડી રેખાબેન રોજાસરા, પંકજભાઈ વાઘેલા, અલ્કાબેન સોલંકી, અલ્પેશભાઈ વાણંદ, સતીષભાઈ સાવડીયા, મુકેશભાઈ કુરીયા સહિત મહિલા, પુરૂષો અને બાળકો મળી અંદાજે ૧૨૦ શીબીરાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ ૧૫ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી અને વ્યસનમુક્તિના શપથ લેવડાવ્યા હતાં જેમાં ૧૨ લોકોએ વ્યસન મુક્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tVR1Cg
0 Response to "પાટડીના નારણપુરા ગામે વિશ્વ ક્ષયદિવસની ઉજવણી કરાઈ"
Post a Comment