
ખેડૂતને પાક વીમા અને નુકસાનીનું 7 ટકા વળતર વ્યાજ સાથે ચૂકવવા હુકમ
સુરેન્દ્રનગર, લીંબડી : સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને જીલ્લાભરના ખેડુતો પોતાની સુઝ મુજબ અલગ-અલગ સીઝનોમાં વિવિધ પાકોનું વાવેતર કરે છે તેમજ સરકારના નિતી નિયમ અને ધારાધોરણ મુજબ પાકધિરાણ મેળવી તે અંગેનું ભરવાપાત્ર પ્રીમીયમ ભરી સરકારની યોજનાઓનો લાભ લેતા હોય છે પરંતુ વિમા કંપની અને બેન્ક દ્વારા ખેડુતોને નુકશાની અંગેનું વળતર ચુકવવામાં ન આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે
લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડુતને પાકવિમાની રકમ ન ચુકવતાં સુરેન્દ્રનગર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોરમમાં કેસ દાખલ કર્યો હતો જેનો તાજેતરમાં ચુકાદો આવતાં કોર્ટ દ્વારા વિમા કંપનીને ૭% વ્યાજ સાથે વળતર ચુકવવાનો હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડુત ભરતસિંહ ઝાલા સહિતનાઓએ વર્ષ ૨૦૧૭માં અતિવૃષ્ટિના કારણે પોતાની ખેતીલાયક જમીનમાં તેમજ પાકોને થયેલ નુકશાન અંગે વિમાનું પ્રિમીયમ ભર્યું હોવા છતાં નુકશાન અંગેનું વળતર ચુકવવામાં ન આવતાં સુરેન્દ્રનગર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં લીંબડી તાલુકાની પાણશીણા એસબીઆઈ બેન્કના બ્રાન્ચ મેનેજર, બેન્કના રીઝીન્યુઅલ મેનેજર તથા એસબીઆઈ જનરલ ઈનસ્યોરન્સ કંપની અમદાવાદ સામે નુકશાની અંગેનું વળતર વ્યાજ સાથે ચુકવવા કેસ દાખલ કર્યો હતો.જેના ભાગરૂપે ગ્રાહક તકરાર નિવારણ કોર્ટ દ્વારા એસબીઆઈ બેન્કના બ્રાન્ચ તેમજ રીઝીન્યુઅલ મેનેજર સમેનો કેસ રદ્દ કરી એસબીઆઈ જનરલ ઈનસ્યોરન્સ કંપનીને ૭%ના વ્યાજ સાથે કુલ રૂા.૪૭,૭૪૮ જેટલી રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો. તેમજ આ ઉપરાંત ભોગ બનનાર ખેડુતને માનસીક ત્રાસના વળતર પેટે અલગથી રૂા.૨,૦૦૦ તથા ફરિયાદ ખર્ચના રૂા.૧,૦૦૦ પણ ચુકવવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર ખેડુતે નુકશાન તેમજ માનસીક ત્રાસ અંગે રૂા.૫,૦૦,૦૦૦નો દાવો કર્યો હતો. આ તકે જીલ્લાના ખેડુત આગેવનો ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડીયા, રાજુભાઈ કરપડા, રામકુભાઈ કરપડા સહીતનાઓએ જણાવ્યું હતું કે હાલ ૧૪ ખેડુતોનો ચુકાદો આવેલ છે પરંતુ હજુ મોટીસંખ્યામાં ખેડુતોના કેસ પેન્ડીંગ છે જે તમામને પણ ચોક્કસ ન્યાય મળશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lYHkQN
0 Response to "ખેડૂતને પાક વીમા અને નુકસાનીનું 7 ટકા વળતર વ્યાજ સાથે ચૂકવવા હુકમ"
Post a Comment