
જિલ્લામાં કોરોના હટવાનું નામ નથી લેતો : વધુ 7 કેસો નોંધાયા
- કુલ આંક હવે 3,769 પર પહોંચ્યો
સુરેન્દ્રનગર, તા.૨૨
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી બાદ ફરી કોરોના વાયરસે કહેર મચાવ્યો છે પરંતુ સરકારી ચોપડે કોરોના વાયરસના સાચા પોઝીટીવ આંક દર્શાવવામાં આવતાં નથી અને બિનસત્તાવાર રીતે જીલ્લામાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને અંદાજે ૧૫થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે પરંતુ સરકાર ચોપડે ૦ થી લઈ માત્ર ૧ કેસ જ દર્શાવાય છે ત્યારે છેલ્લા ઘણા સમય બાદ સરકારી ચોપડે એક જ દિવસમાં વધુ ૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શહેરીજનોમાં ચીંતા જોવા મળી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્તાવાર રીતે અંદાજે ૨૫ થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં છેલ્લા એક દિવસમાં વધુ ૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૭૬૯ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે શહેરી વિસ્તારમાં બિનસત્તાવાર રીતે અંદાજે ૧૫થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PmUKKo
0 Response to "જિલ્લામાં કોરોના હટવાનું નામ નથી લેતો : વધુ 7 કેસો નોંધાયા"
Post a Comment