
3 મહિનાના ધૈર્યની સારવાર માટે સાયલા તાલુકામાંથી લોકોએ 1,11,111નું ફંડ આપ્યું
સાયલા : મહિસાગર જીલ્લાના કાનેસર ગામના ૩ મહિનાનો બાળક ધૈર્યરાજસિંહ રાઠોડ એસ.એમ.એ.-૧ નામની બિમારીથી પીડાઈ રહ્યો છે અને ડોક્ટરના જણાવ્યા મજુબ તેની સારવાર માટે રૂા.૧૬ કરોડની કિંમતના ઈન્જેકશનની જરૂર હોય સમગ્ર દેશમાંથી સામાજીક સંસ્થાઓ, સેવાભાવી લોકો સહિતનાઓ દ્વારા મદદરૂપ થવાના હેતુથી યથાશક્તિ મુજબ ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે ત્યારે સાયલા સ્ટેટના ભાયાતી ગામો દ્વારા પણ ભંડોળ એકત્ર કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.
જેમાં સાયલા સ્ટેટના ભાયાતી ગામો નારીચાણા, લીયા, ખાટડી, રાણીપાટ, ખાખરાથળ, કાનપુર, હડાળા, આયા, ઢેઢુકી, રતનપર અને સાયલામાંથી રૂા.૧,૧૧,૧૧૧ જેટલું ભંડોળ એકત્ર કરાયું હતું આ તકે સાયલા સેસમલજી સમાજના પ્રમુખ દોલતસિંહજી રાણીપાટ, મહામંત્રી ગિરિરાજસિંહજી, ક્રિપાલસિંહ, પીન્ટુભાઈ, જયદેવસિંહ, વનરાજસિંહ, તનવીરસિંહ, સરદારસિંહ, અજીતસિંહ, રાધવેન્દ્રસિંહ, હરપાલસિંહ, અજયરાજસિંહ, યશપાલસિંહ, દુષ્યંતસિંહ સહિતના આગેવાનો અને યુવાનોએ ફંડ એકત્ર કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત સાયલા ખાતે આવેલ એલ.એમ.વોરા ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓ હિતીક્ષા, રિધ્ધિ, ઉન્નતી વગેરેએ પણ ફાળો ઉઘરાવી આચાર્ય ચંદ્રકાન્તભાઈ વ્યાસને આપી ધૈર્યરાજસિંહના ખાતામાં જમા કરાવી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Uxbzw
0 Response to "3 મહિનાના ધૈર્યની સારવાર માટે સાયલા તાલુકામાંથી લોકોએ 1,11,111નું ફંડ આપ્યું"
Post a Comment