
ગુજરાતમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા ક્યાં ક્યાં મોકૂફ રખાઈ ? ક્યા વિસ્તારોમાં રાબેતા મુજબ લેવાશે ?
<p>ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાના કેસ વધતા શિક્ષણ બોર્ડ દ્વારા આ મોટો નિર્ણય લેવાયો છે. કુલ 847 પરીક્ષા કેન્દ્ર ઉપરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે. આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થવાની હતી. અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકાઓમાં આ નિર્ણય લાગુ પડશે. 8 મહાપાલિકા સિવાય તમામ જગ્યાએ પ્રાયોગિક પરીક્ષા લેવાશે.</p> <p>રાજ્યમાં અમદાવાદ, સુરર, વડોદરા અને રાજકોટ શહેરમાં પ્રેક્ટિલની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ચાર મહાનગરો ભાવનગર, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢમાં પણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે. સૌથી વધુ શુરત શહેરના 189 સેન્ટર પર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.</p> <p>નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.</p> <p>રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.</p> <p><strong>કોરોનાથી ક્યાં કેટલા મોત થયા </strong><strong>?</strong></p> <p>ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3, સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.</p> <p>આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.</p> <p><strong>ક્યાં કેટલા કેસ નોંધાયા </strong><strong>?</strong></p> <p>સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-36, વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26, જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8 કેસ નોંધાયા હતા.</p> <p><strong>કેટલા લોકો ડિસ્ચાર્જ થયા </strong><strong>?</strong></p> <p>આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે.</p> <p>સુરત કોર્પોરેશનમાં 503, અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન-18, વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18, જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.</p>
from gujarat https://ift.tt/3u6EUT3
from gujarat https://ift.tt/3u6EUT3
0 Response to "ગુજરાતમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા ક્યાં ક્યાં મોકૂફ રખાઈ ? ક્યા વિસ્તારોમાં રાબેતા મુજબ લેવાશે ?"
Post a Comment