આજથી સરકાર ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવાનો આરંભ કરશે

આજથી સરકાર ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવાનો આરંભ કરશે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર

કોરોનાની રસીનો હેલ્થ વર્કર્સ અને ડૉક્ટર્સને ડોઝ આપી દીધા પછી હવે ગુજરાત સરકારે આવતીકાલથી એટલે કે 31મી જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવાનો આરંભ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

પહેલા જ દિવસે 70,000થી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવશે. અત્યાર સુધી હેલ્થ વર્કર્સ એટલે કે ડૉક્ટર્સ, નર્સ, આરોગ્ય સુવિધા સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓને કોરોનાની રસીનો ડોઝ આપવાની કામગીરી કરી છે. 

આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે પ્રસ્તુત માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. હવે આવતીકાલથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાનો આરંભ કરવામાં આવશે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સમાં પોલીસ, કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને સફાઈ કામદારોનો સમાવેશ થાય છે. 

આજ સુધીમાં કોરોનાની રસી 2.45,930 હેલ્થ વર્કર્સને આપવામાં આવી છે. 29માં દિવસથી તેમને બીજો ડોઝ આપવાનું ચાલુ કરવામાં આવશે. બીજી તરફ ગુજરાતમાં આવતીકાલથી 90 લાખ બાળકોને પોલિયોની રસી આપવાના અભિયાનનો પણ આરંભ કરવામાં આવી રહ્યો હોવાનું આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં 90 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j3wuYm

0 Response to "આજથી સરકાર ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવાનો આરંભ કરશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel