
આજે ડીજીપી, કમિશનર સહિત 25000 પોલીસને રસીકરણ
અમદાવાદ, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
કોરોના રસીકરણનો બીજા અને શહેર પોલીસ માટેના પહેલા તબક્કામાં આવતીકાલ, રવિવારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત રાજ્યના કુલ 25000 પોલીસ કર્મચારીને કોરોના રસીકરણ કરવામાં આવશે. ચાર દિવસમાં રાજ્યના તમામ સવા લાખ પોલીસ અને સુરક્ષા જવાનોને રસી અપાશે.
અમદાવાદ શહેરમાં પહેલા દિવસે 4500 પોલીસ કર્મચારીને કોરોનાની રસી આપવા માટે પાંચ હોસ્પિટલોમાં કેન્દ્ર રખાયાં છે. કોરોના રસીકરણના પહેલા તબક્કામાં આવતીકાલ, રવિવારે અમદાવાદ શહેર પોલીસના 4500 કર્મચારી અને અિધકારીને કોરોનાની રસી આપવામાં આવશે.
શહેરના ઝોન-1ના 800, ઝોન-2ના 700, ઝોન-3ના 300, ઝોન-4ના 400, ઝોન-5ના 800, ઝોન-6 અને 7ના 700-700 ઉપરાંત ટ્રાફિક પોલીસના 1000 જવાનોને કોરોના રસી અપાશે. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, હોમગાર્ડસ, હેડ કવાર્ટર, સ્પેશિયલ બ્રાન્ચ મળી કુલ 4500 પોલીસને કોરોનાની રસી અપાશે.
અમદાવાદમાં અસારવા સિવિલ, સોલા સિવિલ અને એસ.વી.પી. હોસ્પિટલ સહિત પાંચ કેન્દ્રો પર શહેરના કુલ 20000 પોલીસ, જવાનોને રસીકરણ કરાશે. ગુજરાત રાજ્યના ડીજીપી અને ગાંધીનગરમાં ફરજ બજાવતા અન્ય ઉચ્ચ આઈપીએસ રવિવારે સવારે 10 વાગ્યાથી ગાંધીનગર સિવિલ ખાતે કોરોના રસી લેનાર છે.
ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું કે, રવિવારથી ચાર દિવસ દરમિયાન ચાર તબક્કામાં રાજ્યના તમામ એક લાખ પોલીસ કર્મચારીને કોરોનાની રસી આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરના સંકલનમાં કામગીરી પૂર્ણ કરવા વિડિયો કોન્ફરન્સથી જે-તે ડીસીપી અને ડીએસપીને સૂચના અપાઈ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39zhGNY
0 Response to "આજે ડીજીપી, કમિશનર સહિત 25000 પોલીસને રસીકરણ"
Post a Comment