રોડ સહિતની સુવિધાઓ ન મળતા વઢવાણની અર્ચના સોસાયટીના રહીશો મત નહીં આપે

રોડ સહિતની સુવિધાઓ ન મળતા વઢવાણની અર્ચના સોસાયટીના રહીશો મત નહીં આપે


સુરેન્દ્રનગર, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં રોડ, રસ્તા, પાણી, ગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે પરંતુ વઢવાણ ૬૦ ફુટ રોડ પર આવેલ અલ્કાપુરી ચોક તેમજ અર્ચના સોસાયટી-૧માં પ્રાથમિક સુવિધાઓ ન મળતાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં આ વિસ્તારનાં રહિશોએ આગામી પાલિકાની ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરતાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ ૬૦ ફુટ રોડ પર અર્ચના સોસાયટી-૧માં અનેક રહિશો છેલ્લા ઘણા સમયથી વસવાટ કરે છે ત્યારે છેલ્લા ૧૦ વર્ષથી આ શેરીમાં પાલિકા તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવ્યો નથી. તેમજ પીવાના પાણીની પણ સમસ્યા વર્ષો જુની છે જે અંગે પાલિકાના સદ્દસ્યો સહિત સાંસદને રજુઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. તેમજ દર વખતે પાલિકાની ચુંટણી દરમ્યાન ઉમેદવારો અને રાજકીય પક્ષો મત માંગવા આવે છે ત્યારબાદ મહિલાઓ અને લોકોની કોઈ જ રજુઆતો કે સમસ્યાઓ સાંભળતું નથી આથી કંટાળી આ વિસ્તારના રહિશોએ આગામી પાલિકાની ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો અને ચુંટણીના બહિષ્કાર સાથેના બેનરો લગાવી વિરોધ કર્યો હતો તેમજ કોઈપણ રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહિં તેવાં બેનરો સાથે રોષ દાખવ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cqkA9N

0 Response to "રોડ સહિતની સુવિધાઓ ન મળતા વઢવાણની અર્ચના સોસાયટીના રહીશો મત નહીં આપે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel