કચ્છમાં પણ આજથી કોરોના વેકિસન અપાશેઃ પાંચ સ્થળોએ આયોજન ગોઠવાયુ

કચ્છમાં પણ આજથી કોરોના વેકિસન અપાશેઃ પાંચ સ્થળોએ આયોજન ગોઠવાયુ

ભુજ,શુક્રવાર

કેન્દ્ર સરકારે બે સ્વદેશી કોરોનાની વેકસિનને લીલીઝંડી આપ્યા બાદ દેશની સાથોસાથ આવતીકાલે કચ્છમાં પણ રસીકરણનો પ્રારંભ કરાવાશે. અગાઉ નવ સૃથળોએ કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ ઘડી કઢાયો હતો જો કે, રાજય કક્ષાએાથી ચાર સૃથળોની બાદબાકી કરાતા આવતીકાલે ભુજ, ભચાઉ,ગાંધીધામ અને નલિયા, માંડવી ખાતે રસીકરણની કામગીરીના શ્રીગણેશ કરાશે. ઉલ્લેખનિય છે કે, કચ્છમાં પણ કોરોનાની રસીની ઉત્સાહભેર રાહ જોવામાં આવી રહી છે.

કચ્છમાં પણ પાંચ સૃથળોએ કોરોનાની રસી આપવાની કામગીરીના કાઉન્ટડાઉન શરૃ કરી દેવાયો હતો. જેના ભાગરૃપે પદાિધકારીઓ-અિધકારીઓની મહત્વની બેઠક પણ મળી ચુકી છે. દેશભરમાં ચાર તબક્કામાં કોરોનાની રસી આપવામાં આવનાર છે. જેમાં પ્રાથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ એવા તબીબો, હેલૃથ વર્કરો, બીજા તબકકામાં કોરોના વોરીયર્સ, પોલીસ કર્મચારીઓ, મીડીયા, સફાઈ કામદાર, સરકારી અિધકારીઓ-કર્મચારીઓને આવરી લેવાશે. ત્રીજા તબક્કામાં પચ્ચાસાથી વધુ વય ધરાવતા અને બીમાર પીડીત વ્યકિતઓને કોરોનાની રસી અપાશે. 

જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અિધકારીના નેતૃત્વમાં કોરોના વેકસિનની કામગીરી કરવામાં આવનાર છે.

કચ્છમાં ભુજ, નલિયા, માંડવી, ગાંધીધામ, ભચાઉ ખાતે રસીકરણની ઝુંબેશનો પ્રારંભ થશે. સરકારી દવાખાને હેલૃથ વર્કરને રસી અપાશે.  ત્યારબાદ શાળાઓમાં જનતા માટે રસીકરણની વ્યવસૃથા ગોઠવાશે.  કચ્છમાં પ્રાથમ તબક્કામાં ૧૪ હજાર જેટલા હેલૃથ વર્કરોને રસી આપવાનું આયોજન છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3igbWvc

0 Response to "કચ્છમાં પણ આજથી કોરોના વેકિસન અપાશેઃ પાંચ સ્થળોએ આયોજન ગોઠવાયુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel