કચ્છના ચાઈનાકલે એકમો પાસેથી ૧૦૦ કરોડનો દંડ વસૂલવામાં ઠાગાઠૈયા

કચ્છના ચાઈનાકલે એકમો પાસેથી ૧૦૦ કરોડનો દંડ વસૂલવામાં ઠાગાઠૈયા

ભુજ, શુક્રવાર 

કચ્છ ખનીજ સંપદાથી ભરપુર પ્રદેશ છે ત્યારે લીઝ લીધા બાદ પણ અહીંં ખનીજચોરી કરતા એકમો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર અને રોયલ્ટી ચોરી કરવામાં આવી છે. જેમાં ખાણ-ખનીજ ખાતાના અિધકારીઓની મીલીભગતાથી રાજ્ય સરકારને અબજોની ખોટ સહન કરવી પડતી હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૮માં ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા  ચાઈના કલેના ૯૫ યુનિટ પર દરોડા પાડીને ખનીજચોરી પકડયા બાદ આજદિન સુાધી રાજકીય પીઠબળ ધરાવતા એકમો પાસેાથી ૧૦૦કરોડ જેટલી રકમ વસુલવામાં ન આવતા મુદે અિધકારીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. 

આ મુદે ખાણ-ખનીજ અને ભુસ્તરવિજ્ઞાનના કમિશ્નરને ડો.રમેશ ગરવા દ્વારા આ મુદે ધા નાખીને અિધકારીઓની કાર્યવાહી સામે સવાલ કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના ૯૫ ચાઈના કલે પ્રોસેસના એકમોને ખાણ-ખનીજ ખાતાએ  ખનીજચોરી, નિયમોના ભંગ સહિતના મુદે ઓછામાં ઓછો ૫૦ લાખાથી કરીને ૨ થી ૩ કરોડનો દંડ ફટકાર્યો હતોે. તમામ એકમોને નોટીસ આપીને કુલ ૧૦૦ કરોડની આસપાસની રકમ ભરવા તાકીદ કરી હતી.  ગેરરિતી અને ભ્રષ્ટાચાર સાબિત થતાં ૨૦૧૯માં નોટીસ આપીને ઓનલાઈન રોયલ્ટી બંધ કરી અને દંડ ભરવા જણાવાયું હતુ.

પરંતુ રાજકીય ઓાથ હેઠળ ચાલતા આ એકમોએ દંડની રકમ ભરી નાથી છતાં આજેપણ ગેરકાયદે રીતે કાર્યરત છે. નવાઈ વચ્ચે ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા પણ  ૨૦૧૯માં ચાર વાર ઓનલાઈન સુનાવણીના નામે તરકટ કરી દંડ વસુલ્યો નાથી. યોગ્ય કાર્યવાહી ન કરતા છેલ્લા ૩ વર્ષમાં દંડ ઉપરાંત ભ્રષ્ટાચારનો આંકડો બે ગણો થઈ ગયો છે. જે રાજ્યહિતમાં ખુબ જ મોટું આિાર્થક નુકશાન છે.

શરમજનક બાબત એ છે કે, અિધકારીઓ દ્વારા ચાલતી રહેમ નજરની લેખિત રજુઆત કમિશ્નર, ફલાઈંગ સ્કવોર્ડ, કલેકટર, પ્રદુષણ નિયત્રંણ બોર્ડ સહિતનાને વારંવાર કર્યા હોવાછતાં દંડની રકમ વસુલવા કરાવવામાં કોઈ ઉચ્ચ અિધકારીએ પણ રસ લીધો નાથી. ત્યારે આ મુદે ફરી એકવાર રજુઆત કરીને જ્યાં સુાધી બે વર્ષના વ્યાજ સહીત દંડ ન ભરાય ત્યાં સુાધી એકમો બંધ કરવા માંગ કરાઈ છે. ગરવા વધુમાં ચીમકી આપી હતી કે, જો હવે દાદ નહીં અપાય તો ફરીયાદ કરવાની ફરજ પડશે. 

ખાણ-ખનીજ ખાતું નેતાઓની લાજ કાઢે છે

રજુઆતમા ંઆક્ષેપ કરાયો છે કે, સૃથાનિક ખાણ-ખનીજ ખાતાના અિધકારીઓ આ એકમો સત્તાધારી પક્ષ સાથે સાંઠગાંઠ ધરાવતા હોઈ તેમની વિરુધૃધ કોઈ કાર્યવાહી કરતા નાથી. આ બાબતનું  રેકર્ડ પણ નિભાવ્યું નાથી. આજદિન સુાધી જવાબ આપવાની તસ્દી પણ લીધી નાથી. 

રાજ્યપાલના આદેશને કલેકટર ધોળીને પી ગયા 

દંડ વસુલવા બાબતે રાજ્યના રાજ્યપાલ અને વિાધાનસભાના વિપક્ષી નેતાએ કલેકટરને લેખીતમાં પત્ર પાઠવીને જણાવ્યું હતું. પરંતુ આજે એક વર્ષ થવા આવ્યું છતાં રાજ્યપાલના  પત્રને ગંભીરતાથી લેવાયો નાથી. યુનિટના ભ્રષ્ટાચાર અને પર્યાવરણને નુકશાન પહોંચાડવાના કૃત્ય સામે ખુદ કચ્છના જ તમામ ખાતાના બાબુઓ મીઠી નજર રાખીને બેઠા હોવાથી ભારે રોષ ઉભો થયો છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39AT5Hh

0 Response to "કચ્છના ચાઈનાકલે એકમો પાસેથી ૧૦૦ કરોડનો દંડ વસૂલવામાં ઠાગાઠૈયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel