
મહેસાણા જિલ્લામાં પાંચ સેન્ટરો પરથી 500 લોકોને રસી અપાશે
મહેસાણા, તા.15 જાન્યુઆરી 2021, શુક્રવાર
મહેસાણા જિલ્લામાં છેલ્લા ૧૦ માસથી કોરોનાથી ત્રસ્ત બનેલા જિલ્લાવાસીઓ માટે રાહત અનુભવતી ઘટના આજે બનશે. જેમાં જિલ્લાના પાંચ જેટલા સ્થળો પર ૫૦૦ જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા આ માટે જિલ્લાના વડનગર મહેસાણા, કડી, ઊંઝા અને સતલાસણા ખાતે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ૧૦ માસ દરમિયાન અંદાજિત ૫૦ હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. તો કેટલાય દર્દીઓના મોત પણ થયા છે ત્યારે સરકાર દ્વારા રસીને મંજુરી આપતા લોકોમાં હાશકારો જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લામાં આજે પાંચ સ્થળે જેમાં મહેસાણા જનરલ હોસ્પિટલ, કડીની ભાગ્યોદય હોસ્પિટલ, એક ઊંઝાની એસ.ડી.એચ., સી.એચ.સી. સતલાસણા અને વડનગર મેડિકલ હોસ્પિટલમાં આજે કોરોનાની રસી માટેના સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ સેન્ટરો પર આરોગ્યના કર્મીએ ફ્રન્ટલાઈન વોરીયર સહિતને આજે પ્રથમ ૫૦૦ જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમને લઈ મેડીકલની ટીમો અને તબીબો ખડેપગે રહેશે.
રસી આપ્યા બાદ 30 મિનિટનું ઓબ્ઝર્વેશન થશે
રસીકરણ સ્થળ પર ત્રણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રથમ કક્ષ પ્રતિક્ષા ખંડ જેવામાં રસી લેનાર વ્યક્તિનું નામ સહિત વિગતો લેવામાં આવશે. જ્યારે બીજો રૃમ વેક્સીન કક્ષ બનાવાયો છે. જેમાં તબીબ દ્વારા વેક્સીન લેનાર વ્યક્તિની બીમારી સંબંધી પુછપરછ કરી વિગતો લેવામાં આવશે અને રસી અપાશે. જ્યારે રસી લીધા બાદ ૩૦ મિનિટ માટે ત્રીજો કક્ષ ઓબ્ઝર્વેશન રૃમ બનાવ્યો છે. જ્યાં રસી લેનાર વ્યક્તિને તબીબોના ઓબ્ઝર્વેશનમાં ૩૦ મિનિટ રાખવામાં આવશે.
5 સ્થળે આજે વેક્સીનેશન
મહેસાણા જિલ્લામાં આજે શનિવારે મહેસાણા શહેર સ્તિત જનરલ હોસ્પિટલ, મહેસાણા, ભાગ્યોદય હોસ્પિટલ, કડી, એસ.ડી.એસ. ઊંઝા, સી.એચ.સી. સતલાસણા અને જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ, વડનગર ખાતે કલેક્ટર એસ.કે. પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના રસીકરણની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p1P9WR
0 Response to "મહેસાણા જિલ્લામાં પાંચ સેન્ટરો પરથી 500 લોકોને રસી અપાશે"
Post a Comment