કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરાયો

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરાયો


અમદાવાદ, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર

ગુજરાતમાં બર્ડ ફ્લૂની થયેલી એન્ટ્રીના સંદર્ભમાં કાંકરિયા ઝૂનો પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે. જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના બાંટવાની નજીક ખારા ડેમ વિસ્તારમાં ટીટોડી સહીત 53 પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા.

જેના સેમ્પલ ભોપાલની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હાઇસિક્યુરિટી ડિસીઝમાં મોકલાયા હતા, જેમાં બે ટીટોડીના મોત બર્ડ ફ્લૂથી થયાનું જણાતા દોડધામ મચી ગઈ હતી. આ બર્ડ ફ્લૂની એન્ટ્રીના સંદર્ભમાં મોટાભાગના ઝૂમાં સલામતીના હેતુથી પક્ષી-વિભાગ બંધ કરી દેવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરિયા ઝૂમાં 50 જાતિના 1200 જેટલાં પક્ષીઓ પાંજરામાં બંધ છે. આ પક્ષીઓના દર ત્રણ-ચાર મહિને પશુપાલન વિભાગ દ્વારા સેમ્પલ લેવાતા હોય છે. એક મહિના પહેલાં પક્ષીઓની ચરકના લેવાયેલાં તમામ સેમ્પલ નેગેટિવ નીકળ્યા હતા.

આમ છતાં સલામતીના ભાગરૂપે નાગરિકોના આ વિભાગમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. કોઈ નાગરિક બર્ડ ફ્લૂના વિસ્તારમાંથી આવતા હોય તો કેરિયર તરીકે તેઓ આ પક્ષીઓને ચેપ લગાડી શક્તા હોય છે, તેમ ઝૂના ડાયરેકટર ડો. શાહુએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 2016માં કોઈ અજાણ્યા લોકો ગાંધીનગરના તળાવ નજીક બતકોને છોડી ગયા હતા. જેને જીવદયાનું કામ કરતી હાથીજણની આશા ફાઉન્ડેશન નામની સંસ્થા લઇ આવી હતી.

બાદમાં હાથીજણ અને મેમનગર ફાયર સ્ટેશન પાછળના ગાર્ડનમાં બર્ડ ફ્લૂ ફેલાઈ ગયો હતો. લોકોની અવરજવર માટે આ ગાર્ડન નજીકનો રોડ બંધ કરી દેવાયો હતો અને તે સમયે ઘણા બધા પક્ષીઓને પકડી પકડીને ડોકા મરોડીને મારી નાખ્યા હતાં.

ગાંધીનગરમાં વાઈબ્રન્ટનું ફંકશન હોવાથી મ્યુનિ.ના હેલ્થ વિભાગે તેની જુની ટેવ મુજબ બર્ડ ફ્લૂના કેસોને છૂપાવી રાખ્યા હતા. ચારેક દિવસ પછી માહિતી બહાર આવી ગયા બાદ હેલ્થ ખાતાએ કબુલાત કરી હતી. આ રોગચાળો ત્રણથી ચાર સપ્તાહ સુધી તે સમયે ચાલ્યો હતો.

જૂનાગઢ, વડોદરા, રાજકોટ ઝૂમાં પણ પક્ષીગૃહો મુલાકાતીઓ માટે બંધ

બર્ડ ફલૂએ ગુજરાતમાં દસ્તક દીધી છે ત્યારે રાજ્ય સરકારે પણ સતર્કતા દાખવી છે.અમદાવાદ , વડોદરા ,રાજકોટ અને જૂનાગઢ પ્રાણીસંગ્રહાલયમાં પક્ષીગૃહો મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયા છે. રાજ્યમા પ્રાણી સંગ્રહાલયોમાં પક્ષીઓની ખાસ કાળજી લેવાઇ રહી છે.દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.કોઇપણ પક્ષીનો બિમારી નથી તે અંગે નજર રાખવામાં આવી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35rM1eP

0 Response to "કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel