ગુજરાતમાં 16મી જાન્યુઆરીથી કોરોનાની રસી આપવામાં આવશે

ગુજરાતમાં 16મી જાન્યુઆરીથી કોરોનાની રસી આપવામાં આવશે


ગુજરાતમાં 287 સેન્ટર પરથી સરેરાશ 100 વ્યક્તિને હિસાબે રોજના 28,700 વ્યક્તિને રસી અપાશે 

(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર

ગુજરાતમાં આગામી 16મી જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાનો આરંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને પ્રસ્તુત જાહેરાત કરી છે. પૂણેની સિરમ ઇન્સ્ટિટયૂટના સહયોગમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનકાએ તૈયાર કરેલા રસીના ડોઝ આપવામાં આવશે.

ગુજરાતના રસીકરણના આ પ્રોગ્રામમાં સૌથી પહેલા ડૉક્ટર્સ, અર્ધતબીબી સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ રસી આપવામાં આવશે. ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સમાં પોલીસ, સફાઈ કર્મીઓ, આંગણવાડીની મહિલાઓ, આશા વર્કર્સ, મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના કર્મચારીઓને રસી આપવામાં આવશે.

ત્યારબાદ 50 વર્ષથી નાની વયના અને ડાયાબિટીશ, હૃદયરોગ, કીડની જેવી  બીમારીનો શિકાર બનેલા 2.71 લાખ દર્દીઓને દવા આપવામાં આવશે. તે પચી 50 વર્ષથી વધુ વયના અંદાજે 1.06 કરોડ લોકોને રસી આપવામાં આવશે. છે. ગુજરાતમાં પહેલા રાઉન્ડમાં જ 287 સેન્ટર પરથી રોજના સરેરાશ 100 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવશે. 

રસી આપવાના કાર્યક્રમમાં સંપૂર્ણપણે ભારત સરકારની માર્ગદર્શિકાને જ અનુસરવામાં આવશે એમ જણાવતા આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી આવતીકાલે તેમને 9.69 લાખ ડોઝ મોકલવામાં આવશે. આ ડોઝમાંથી પહેલા 4.33 લાખ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સના ડૉક્ટર્સ, નર્સ અને આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવશે.

ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સની કેટેગરીમાં આવતા 3.47 લાખ પોલીસ કર્મી, આંગણવાડીની મહિલાઓ, આશાવર્કરોને રસી આપવામાં આવશે. રસી આપવાના કાર્યક્રમમાં બે લાખથી વધુ આરોગ્ય વિભાગ, અન્ય વિભાગ, ડેવલપમેન્ટ પાર્ટનર અને એનજીઓના અધિકારીઓ કર્મચારીઓ જોડાશે. 

પહેલો ડોઝ આપ્યા પછી 29માં દિવસે બીજો  ડોઝ આપવામાં આવશે. ત્યારબાદના 14 દિવસે એટલે કે 42માં દિવસે તેમના શરીરમાં એન્ટિજન પેદા થશે. આ તબક્કે કદાચ શરીર પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય તો તેનાથી ડરવાની જરૂર ન હોવાનું ટોચના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે.

વ્યક્તિના શરીરમાં એન્ટિજન પેદા કરવાની કામગીરી ચાલુ થઈ રહી હોવાનો નિર્દેશ તેના પરથી મળે છે.  સોલાની સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોટિકની રસીનું ટ્રાયલ રન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 1000 વ્યક્તિઓને પહેલો ડોઝ અને 400 વ્યક્તિઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. તેની અત્યાર સુધી કોઈ આડઅસર જોવા મળી ન હોવાનું આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. 

કોરોનાની રસી મૂકાવવા આવનાર વ્યક્તિને રસી આપતા પૂર્વે પહેલા રૂમમાં તેની તમામ વિગતો લઈન ેતેની નોંધ કરવામાં આવશે. આ નોંધ કર્યા પછી તેમને બીજા રૂમમાં લઈ જઈને રસી આપવામાં આવશે. ઇન્જેક્શનના સ્વરૂપમાં રસી આપવામાં આવશે. ત્યારબાદ વ્યક્તિને ત્રીજા કક્ષમાં બેસાડીને 30 મિનિટ સુધી આરોગ્ય કર્મીઓની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. કોવિડના રસીકરણ માટે 104 નંબરથી કૉલ સેન્ટર ચાલુ કરવામાં આવશે. તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે.

રસીના એક કરોડથી વધુ ડોઝ સાચવવાની વ્યવસ્થા 

કોરોનાની રસીના ડોઝને સાચવવા માટે પૂરતી વ્યવસ્થા હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. રસીના સ્ટોરેજ માટે છ ઝોમાં વેક્સિન સ્ટોર છે. 41 જિલ્લા અને કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા 2189 કોલ્ડ ચેન પોઈન્ટમાં રસીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કરાઈ છે. રસીને હેરફેર કરવા માટે કુલિંગ બોક્સ પણ તૈયાર રખાયા છે.

બે વૉક ઇન કુલર, એક વૉક ઇન ફ્રિજ, 30 ડીપ ફ્રિજ,છે. 169 આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર પણ છે. 2236 કોલ્ડ ચેઈન પોઈન્ટ પણ રસી સાચવવા માટે તૈયાર છે. આ તમામમાં મળીને 1 કરોડથી વધુ રસીના ડોઝને આરામથી સાચવી શકાશે. આવતીકાલ ેકેન્દ્ર સરકાર તરફથી 9.69 લાખ ડોઝનો પહેલો જથ્થો આવ્યા બાદ સમયાંતરે બીજો જથ્થો આવવાનું ચાલુ જ રહેશે. 

રસી આપીને 30 મિનિટ સુધી વ્યક્તિને સેન્ટર પર બેસાડી નજર રખાશે

(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, શનિવાર 

કોરોનાની રસી આપવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા હેઠળ વ્યક્તિને રસી આપ્યા પછી 30 મિનટ સુધી રસીકરણની કામગીરી કરતાં સ્ટાફની નજર હેઠળ રાખવામાં આવશે. 30 મિનિટ સુધી વ્યક્તિ પર કોઈ જ ચિહ્નો ન જણાય તો તે પછી તેમને જવા દેવામાં આવશે, એમ આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

તેમને સારવાર આપવા માટેની કીટ પણ તૈયાર કરીને રાખવામાં આવી છે. રાજ્યની 108 નંબર પર દોડતી એમ્બુલન્સમાં એઈએફઆઈ કીટ મૂકીને તૈયારી કરી દેવામાં આવી છે. એડવર્સ ઇફેક્ટ ફોલોઇંગ ઇમ્યુનાઈઝેેશન તરીકે આ ઇફેક્ટને ઓળખાવવામાં આવે છે. આ માટે ખાસ એઈએફઆઈ કમિટીની રચના પણ કરવામાં આવી છે. 

કોરોનાની રસી આપ્યા બાદ રોજ રોજ સંબંધિત વ્યક્તિને ફોન કરીને તેના આરોગ્યની જાણકારી લેવામાં આવશે. વિશ્વના તમામ દેશોમાં ઇમરજન્સીમાં લેવા માટે આ રસીનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી હોવાથી દરેક વ્યક્તિને રોજ રોજ ફોન કરીને પૂછવામાં આવશે. 

રસી લીધા પછી ધૂ્રજારી થાય ધબકારા વધી જાય તો જાણ કરો 

(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર,શનિવાર

રસી લીધા બાદ શરીરમાં ધ્રીજારી ચઢે કે પછી હૃદયના ધબકારામાં અસાધારણ વધારો થઈ જાય તો તેની જાણકારી રસી આપવાના કાર્યક્રમમાં જનારી વ્યક્તિને આપવામાં આવેલા ફોન નંબર પર ફોન કરીને જાણ કરવાની રહેશે. રસી અપાયા પછી 29માં દિવસે ફરીથી રસી આપવાની સૂચના અને ગાઈડલાઈન પહેલા ડોઝ વખતે જ આપી દેવામાં આવશે. બીજો ડોઝ લેવા પર તે જ સેન્ટર પર જવાનુ ંરહેશે. બીજો ડોઝ લીધા પછી 14 દિવસે એટલે કે 42માં દિવસથી શરીરમાં વાઈરસ સામે એન્ટિજન પેદા થવાનું શરૂ થશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Lx4iAq

0 Response to "ગુજરાતમાં 16મી જાન્યુઆરીથી કોરોનાની રસી આપવામાં આવશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel