
સાધુ, દેવીપૂજક, ભરવાડ -ઠાકોર સમાજના સ્મશાનોની જમીન હડપ કરાતા પ્રાંત અધિકારીને રજૂઆત
પાટડી, તા. 23 જાન્યુઆરી, 2021, શનિવાર
પાટડી તાલુકાના મોટી મજેઠી ગામે રહેતાં ચાવડા જીવણભાઈ શીવાભાઈએ પાટડી પ્રાંત અધિકારીને લેખીત રજુઆત કરી હતી જેમાં જણાવ્યા મુજબ પાટડીના મોટી મજેઠી ગામે સર્વે નં.૭૩૭ વાળી જમીનમાં જ્યાં અનુ.જાતિ સાધુ સમાજ, દેવીપુજક સમાજ, ભરવાડ અને ઠાકોર સમાજના સ્મશાનો આવેલા છે ત્યારે આ જગ્યા ઉપર તાજેતરમાં વન વિભાગ દ્વારા બોર્ડ લગાવી ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવ્યો છે આ કબ્જો દુર કરવા લેખીત રજુઆત કરવામાં આવી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ પાટડી તાલુકાના મોટી મજેઠી ગામની સર્વે નં.૭૩૭વાળી જમીનમાં અનુ.જાતિ એવા દેવીપુજક, સાધુ સમાજ, ભરવાડ સમાજ અને ઠાકોર સમાજના સ્મશાનો આવેલા છે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી આ જ્ઞાતીઓ દ્વારા મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. પરંતુ આ જગ્યા પર તાજેતરમાં વન વિભાગ દ્વારા એક બોર્ડ લગાવી ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો છે આ બોર્ડમાં આ વિસ્તારને પ્રતિબંધીત જાહેર કરી પરવાનગી વગર પ્રવેશ કરવો નહિં સહિતની વિવિધ સુચનાઓ આપવામાં આવી છે અને કોઈ વ્યક્તિ તેનું ઉલંધ્ધન કરશે તો ગુન્હો અને સજા થવાનું પણ જણાવાયું છે. ત્યારે આ ગેરકાયદેસર કબ્જો કરવામાં આવતાં અનેક અનુ.જાતિના સમાજને હાલાકી પડી રહી છે આથી આગામી ૭ દિવસમાં ગેરકાયદેસર કબ્જો દુર કરવામાં આવે તેવી લેખીત રજુઆતો કરવામાં આવી હતી અને આગામી ૭ દિવસમાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહિં આવે તો તમામ સમાજના લોકો એકત્ર થઈ પાટડી મામલતદાર કચેરી ખાતે ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેસસે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને પાટડી ડેપ્યુટી કલેકટર, જીલ્લા કલેકટર, વન વિભાગ સહિત મુખ્યમંત્રીને પણ આ અંગે રજુઆતો કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iEJROk
0 Response to "સાધુ, દેવીપૂજક, ભરવાડ -ઠાકોર સમાજના સ્મશાનોની જમીન હડપ કરાતા પ્રાંત અધિકારીને રજૂઆત"
Post a Comment