
અમદાવાદમાં વધુ 63 લોકો કોરોનાથી સંક્રમિત, એકનું મૃત્યુ
અમદાવાદ, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
અમદાવાદમાં કોરોનાના કેસો એક તરફ ઝડપથી ઘટવા માંડયા છે, તો બીજી તરફ કોરોના વિરોધી વેક્સિન આપવાની કામગીરીમાં થોડી ઝડપ આવી છે. જો કે ડોકટર અને હેલ્થ વર્કસનો રાઉન્ડ હાલ ચાલી રહ્યો છે, તેમાં પણ સૂચના અપાયા બાદ ઘણાં વેક્સિન લેવા હાજર થતાં નથી, તેવી ફરિયાદ અધિકારીઓ જ કરી રહ્યાં છે.
દરમ્યાનમાં આજે નવા 63 કેસો નોંધાયા છે. વડોદરા 65 કેસો સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે સારવાર દરમ્યાન એક દર્દીનું કરૂણ મૃત્યુ નોંધાયું છે. જ્યારે સાજા થઇ ગયેલાં 108 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
એકટિવ કેસો ઘટીને 1005 થઇ ગયા છે. જેમાંથી પશ્ચિમ ઝોન, ઉત્તરપશ્ચિમ ઝોન, દક્ષિણપશ્ચિમ ઝોનના 478 અને પૂર્વકાંઠાના મધ્ય ઝોન, પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોનના 527 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલોએ તો વેબસાઇટ પર ખાલી અને ભરેલા બેડની વિગતો મૂકવાનું પણ ઓછું કરી દીધું છે.
દરમ્યાનમાં મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 61959 થઇ ગઇ છે. જેમાંથી 2241 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે કોરોનાને હરાવીને 57781 લોકો સાજા થઇ ગયા છે. સતત ઘટી રહેલાં આંક પરથી લાગે છે કે કોરોના હવે વિદાય લેવાની તૈયારીમાં છે, ચૂંટણી પ્રચારના સંપર્કો તેને ફરી વકરાવે નહીં તો સારૂ તેમ આ ક્ષેત્રના અગ્રણીઓનું કહેવું છે.
કયા ઝોનમાં કેટલાં એકટિવ કેસો ?
પશ્ચિમ ઝોન 157
ઉત્તર પશ્ચિમ ઝોન 166
દક્ષિણ પશ્ચિમ ઝોન 155
દક્ષિણ ઝોન 149
પૂર્વ ઝોન 125
ઉત્તર ઝોન 134
મધ્ય ઝોન 119
કુલ 1005
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rbGWzX
0 Response to "અમદાવાદમાં વધુ 63 લોકો કોરોનાથી સંક્રમિત, એકનું મૃત્યુ"
Post a Comment