
આર્મીની ભરતી પ્રક્રિયા પૂર્વે 150થી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી
સુરેન્દ્રનગર, તા. 21 જાન્યુઆરી, 2021, ગુરૂવાર
સુરેન્દ્રનગર ૨૬ એનસીસી બટાલીયન દ્વારા આર્મીમાં જોડાવા માટે જીલ્લાના યુવાનોને જરૂરી એવી શારીરિક અને માનસીક ટ્રેનીંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે જેમાં અત્યાર સુધીમાં જીલ્લાભરમાંથી હજારો યુવાનોએ આર્મીમાં જોડાવા માટેની ટ્રેનીંગ લઈ પરીક્ષા પાસ કરી દેશની સેવા કરી રહ્યાં છે ત્યારે ચાલુ વર્ષે અંદાજે ૧૫૦થી વધુ યુવાનો હાલ બટાલીયન અંતર્ગત ટ્રેનીંગ લઈ રહ્યાં છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ૨૬ એનસીસી બટાલીયન દ્વારા હાલ છેલ્લા એક મહિનાથી જીલ્લાભરના અલગ-અલગ ગામોના અંદાજે ૧૫૦થી વધુ યુવાનોને દરરોજ સવાર અને સાંજ આર્મીમાં જોડાવા માટે જરૂરી ભરતી પ્રક્રિયાની પરીક્ષા માટેની શારીરિક અને માનસીક ટ્રેનીંગ આપવામાં આવી રહી છે જેમાં અલગ-અલગ પ્રકારની કસરતો કરાવવામાં આવે છે અને આર્મીની ભરતી માટેની પરીક્ષા માટે ફોર્મ કઈ રીતે ભરવું સહિતનું પ્રેકટીકલ જ્ઞાાન અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યુ ંછે જ્યારે જીલ્લાના યુવાનોમાં પણ આર્મીમાં જોડાઈ દેશની સેવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે આ ટ્રેનીંગમાં ૨૬ એનસીસી બટાલીયનના અધિકારીઓ કર્નલ કે.આર.શેખર કમાન્ડીંગ ઓફીસર સહિતના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bXosPj
0 Response to "આર્મીની ભરતી પ્રક્રિયા પૂર્વે 150થી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી"
Post a Comment