
ભાવનગરમાં કોરોનાના 7 કેસ નોંધાતા ગભરાટ
- 24 કલાકમાં ગામડામાં કોરોનાનો એક પણ કેસ નહી નોંધાતા રાહત : કોરોનાના 6 દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ : 31 દર્દી સારવાર હેઠળ
ભાવનગર, તા.21 જાન્યુઆરી 2020, ગુરૂવાર
કોરોના વાયરસના કેસ હજુ ભાવનગર શહેર અને જિલ્લામાં વધી રહ્યા છે તેથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આજે ગુરૂવારે ભાવનગર શહેરમાં કોરોનાના કુલ ૭ કેસ નોંધાયા છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ નિયમનુ પાલન કરવુ જરૂરી છે.
ભાવનગર શહેરમાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૭ કેસ નોંધાયા હતા, જેમાં ૭ પુરૂષનો સમાવેશ થાય છે, જ્યારે ગામડામાં ર૪ કલાકમાં એક પણ કેસ નહી નોંધાતા રાહત મળી છે. કોરોનાના ૬ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૬ દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૬,૦૧૮ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૩૧ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ પ,૯૧૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત નિપજયા હતાં. શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત થવુ જરૂરી છે.
Baca Juga
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p6WKTH
0 Response to "ભાવનગરમાં કોરોનાના 7 કેસ નોંધાતા ગભરાટ"
Post a Comment