
ચાર મહાનગરોમાં 15 ફેબુ્રઆરી સુધી રાતના 11થી 6 સુધી કરફ્યૂ ચાલુ રહેશે
હોલ, હોટેલ, ઓડિટોરિયમ જેવા બંધ સ્થળોએ કાર્યક્રમો માટે સ્થળની ક્ષમતાના 50 ટકા સુધી લોકોની હાજરીની છૂટ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા માટે ભારત સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાને અનુસરીને 15મી ફેબુ્રઆરી સુધી ગુજરાતમાં રાતના 11 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચાર મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે. બીજીતરફ લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 200 વ્યક્તિને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાત સરકારના ગૃહ ખાતાના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે 28મી ફેબુ્રઆરી સુધીની ગુજરાત સરકારની ગાઈડલાઈન્સ જાહેરાત કરવામાં આવી છે.
છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેટને 96.94 સુધી લઇ જવામાં સફળતા મળેલી છે. છતાં કોરોનાના સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનં પાલન આવશ્યક હોવાનું જણાવતા પંકજ કુમારે કહ્યું હતું કે કોરોના સંદર્ભે યોગ્ય નિયમોના પાલનની યોગ્ય વર્તણુક, સર્વેલન્સ અને કન્ટેનમેન્ટના નિયમોના ચુસ્તપણે પાલન પર વિશેષ ભાર મૂકી તેનો વ્યાપક અમલ કરાવવાના હેતુસર ગૃહ વિભાગે એક જાહેરનામું-નોટિફિકેશન બહાર પાડયું છે. સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા સત્તાધિકારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓએ જરૂરિયાત જણાયે તો કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની વખતો-વખતની ગાઈડલાઈન ધ્યાનમાં લઈને કાળજીપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાના રહેશે.
કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં જિલ્લા સત્તાધિકારી, પોલીસ તથા સ્થાનિક સત્તામંડળોએ નિયત કન્ટેનમેન્ટ મેઝર્સનું ચુસ્તપણે સમગ્રતયા પાલન કરાવવાનું રહેશે. જોકે કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધામક, રાજકીય સમારોહ સોશિયલ ડિસ્ટન્સિંગની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. તેને માટે ફ્લોર માર્કિંગ પણ કરવું ફરજિયાત છે.
65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય ઘાતક બિમારીઓથી પીડિત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે. આરોગ્ય સેતુ અપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે. તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિઘાઓ તુર્તજ ઉપલબ્ધ થાય તે માટે જરૂુરી પ્રબંધ કરવાનો રહેશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ચોથી જૂન, 2020 ના પરિપત્રથી ધામક સ્થળો, મોલ્સ, રેસ્ટોરેન્ટ, હોટેલ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનુ ંરહેશે.
લગ્ન કે અન્ય સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના પ 0 ટકા થી વધુ નહી અને મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ-પ્રસંગમાં મહેમાનોને બોલાવી શકાશે. આ માટે મંજૂરી લેવા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધામક વિધિમાં મહત્તમ પ0 વ્યકિતઓની મર્યાદા રહેશે. હોલ, હોટેલ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરીયમ, કોમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાાતિની વાડી જેવા બંધ સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધામક, સમારોહ તથા અન્ય જાહેર સામુહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના પ0 ટકાની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજીક, શૈક્ષણિક, રમત- ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધામક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે આ પ્રસંગે લગતી માર્ગદર્શિકોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
જાહેરમાં થૂંકનારા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો નહિ ઢાંકનારા વ્યક્તિને સરકાર દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે. ધામક સ્થળો, હોટેલ અને રેસ્ટોરન્ટ, આતિથ્ય એકમો, શોપિંગ મોલ, કચેરીઓ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ચોથી જૂન 2020ના હુકમથી બહાર પાકવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું તથા ઘામક સ્થળો બાબતે ગૃહ વિભાગના બહાર પાડવામાં આવેલ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સિનેમા હોલ તથા થિયેટર સંદભકેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
સ્વિમિંગપૂલ સંદર્ભમાંકેન્દ્ર સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાનો કડક અમલ કરવાનો રહેશે. એકઝીબીશના હોલ સંદર્ભમાં કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરવાની રહેશે. ટ્રેન મારફતે મુસાફરોની અવર-જવર, હવાઈ મુસાફરી, મેટ્રો ટ્રેન, શાળાઓ, ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ, યોગા સેન્ટર, જીમનેશિયમ સંબંધમાં કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના સંબંધિત વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
લગ્ન પ્રસંગમાં હવે વધુમાં વધુ 200 વ્યક્તિઓની છૂટ
લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 200 વ્યક્તિને બોલાવવાની ગુજરાત સરકારને ફેબુ્રઆરી 2021 માટેની નવી ગાઈડલાઈન્સમાં છૂટ આપી છે. હોલ, હોટેલ, બેંકવેટ હોલ, ઓડિટોરિયમ , કોમ્યૂનિટી હોલ, ટાઉન હોલ, જ્ઞાાતિની વાડી જેવા સ્થળોએ સામાજિક, ધામક - મનોરંજન કે અન્ય સમારોહ - કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના પ0 ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે. તેનાથી વધુ વ્યક્તિઓને રાખવામાં આવશે તો તેને ગુનો ગણવામાં આવશે. એસ.ઓ.પી.-સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના નિયમોનો ભંગ કરનારાને કડક સજા થશે.
પાર્ટી પ્લોટ-ખૂલ્લા મેદાનો-કોમન પ્લોટ કે અન્ય ખૂલ્લા સ્થળોએ મેળાવડા-સમારોહ માટે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-હેન્ડ સેનીટાઇઝર સહિતની નિર્ધારિત કરેલી જોગવાઈઓનું ચુસ્ત પાલન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આજે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે.
થર્મલ સ્કેનીંગ, ઓસિમીટર સેગ્નેટાઈઝર સાથે)ની સગવડતા પૂરી પાડવાની તેમજ, સ્ટેજ, માઈક, સ્પીકર અને ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાની રહેશે.હેન્ડ વોશ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.દ્ધ સલામત અંતર રાખીને આ કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા કરવાની તકેદારી રાખવાની રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rju0rV
0 Response to "ચાર મહાનગરોમાં 15 ફેબુ્રઆરી સુધી રાતના 11થી 6 સુધી કરફ્યૂ ચાલુ રહેશે"
Post a Comment