
અમદાવાદમાં વધુ 129 લોકો કોરોનાગ્રસ્ત, એકનું મૃત્યુ
અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2020, મંગળવાર
અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને બીજી તરફ વેક્સિન આપવા માટેની તમામ તૈયારીઓ પરાકાષ્ટાએ છે. આ સ્થિતિમાં લોકોમાંથી ડર પણ ઓછો થવા માંડયો છે.
દરમ્યાનમાં આજે વધુ 129 લોકો કોરોનામાં સપડાયા છે તેમજ સારવાર દરમ્યાન એક દર્દીનું કરૂણ મૃત્યુ નોંધાયું છે. જ્યારે 167 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
દરમ્યાનમાં મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ કેસોનો આંકડો 60330ને આંબી ગયો છે. તેમાંથી 2219 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે 50853 લોકો કોરોનાને હરાવીને સાજા થઇ ગયા છે.
ખાનગી હોસ્પિટલો ઘટીને 91 થઇ ગઈ છે. જેના 3129 બેડમાંથી માત્ર 319માં દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જ્યારે 3129 એટલે કે 90.74 ટકા બેડ ખાલી પડયા છે. 45 દર્દીઓ આઈસીયુમાં છે અને 504 બેડ ખાલી છે.
30 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. અને 226 વેન્ટીલેટર ખાલી પડયા છે. જ્યારે પાંચ કોવિડ કેર સેન્ટરોના 268 બેડમાં એક અઠવાડિયાથી એક પણ દર્દી નથી.ઘટેલાં આ આંકડા રાહત આપનારા છે. જ્યારે એક્ટિવ કેસો ઘટીને 2318 થઇ ગયા છે. જેમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1096 અને મધ્યઝોન પૂર્વઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોનના 1222 દર્દીઓ સારવાર હેઠળ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3su76iS
0 Response to "અમદાવાદમાં વધુ 129 લોકો કોરોનાગ્રસ્ત, એકનું મૃત્યુ"
Post a Comment