પરિવાર સિવાયના લોકો ધાબા પર હશે તો પોલીસ પકડશે

પરિવાર સિવાયના લોકો ધાબા પર હશે તો પોલીસ પકડશે


અમદાવાદ, મંગળવાર

ઉતરાયણમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ ન થાય તથા તહેવાર શાંતિપુર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસે જડબેસલાક બંદોબસ્તની તૈયારી કરી છે. તે સિવાય ટેરેસ પર પરિવાર સિવાયના બહારના લોકો હાજર હશે તો પોલીસ તેમની વિરૃદ્ધ કાર્યવાહી કરશે. પોલીસ ૨૨ જેટલા ડ્રોનની મદદથી બાજ નજર રાખશે અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ કરાવશે.

ઉત્તરાયણનો તહેવાર શાતિપુર્ણ રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્તની તૈયારી કરી છે. કોરોના વાઈરસના સંક્રમણને પગલે આ વખતે ટેરેસ પર માનવમેદની એકઠી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ટેરેસ પર પરિવારના સભ્યો સિવાય બહારના લોકોની હાજરી નજરે ચડશે તો પોલીસ કાર્યવાહી કરશે. તે સિવાય તમામ લોકોએ માસ્ક પહેરવું પડશે તથા સેનીટાઈજર રાખવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ કરવો પડશે.

તે સિવાય સોસાયટીના કોમન પ્લોટ કે ખુલ્લી જગ્યામાં પતેંગ ચગાવી શકાશે નહી.તમામ પોલીસ સ્ટેશનો તેમના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરશે ઉપરાંત ધાબા પોઈન્ટ પણ ગોઠવવામાં આવશે. પોલીસ દુરબીનથી લોકો પર નજર રાખશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન માટે ૨૨ ડ્રોનની મદદ લેવામાં આવશે.સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરનારાઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે.તે સિવાય કોમી એતા જળવાઈ રહે તે માટે મહોલ્લા કમિટી તથા શાંતિ સમિતીની બેઠકો પણ યોજવામાં આવશે.

ઉત્તરાયણ માટે પોલીસ વ્યવસ્થા

ક્રમ હોદ્દો સૅખ્યા

૧. ડીસીપી ૭

૨. એસીપી ૧૪

૩. પીઆઈ ૬૦

૪. પીએસઆઈ ૧૦૦

૫. પોલીસ કોન્સ્ટેબલ ૩૫૦૦



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XzCNZM

0 Response to "પરિવાર સિવાયના લોકો ધાબા પર હશે તો પોલીસ પકડશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel