ધોરાજીમાં પ્લાસ્ટિક રિપ્રોસેસ ઉદ્યોગ દ્વારા ફેલાતું વાયુ પ્રદૂષણ

ધોરાજીમાં પ્લાસ્ટિક રિપ્રોસેસ ઉદ્યોગ દ્વારા ફેલાતું વાયુ પ્રદૂષણ


- કેમિકલ, વેસ્ટની ખાલી બેગનું ધોવાણ કર્યા બાદ  નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જમીનમાં છોડી દેવાતું પાણી 

ધોરાજી, તા. 3 ડિસેમ્બર 2020, ગુરુવાર


પ્લાસ્ટિક રિપ્રોસેસ ઉદ્યોગને કારણે વિશ્વ વિખ્યાત ધોરાજી શહેરમાં આ ઉદ્યોગના ૩૫૦ જેટલા યુનિટો  આવેલા  છે. અહીંના જુનાગઢ રોડ,  ઉપલેટા રોડ, જામકંડોરણા રોડ, જમનાવડ રોડ સહિતના વિસ્તારમાં આવેલી કેટલાક યુનિટો દ્વારા બહાર જાહેર રસ્તા પર વેસ્ટ સળગાવવામાં આવે છે અને  પ્લાસ્ટિકનો કચરો  અને એની ભૂકીને જાહેર માર્ગો પર ફેંકી દેવાતા હોવાથી અહીં પ્રદૂષણનો પ્રશ્ન ઊભો થયો છે. 

ખાસ કરીને વહેલી સવારે અને રાતના સમયે વેસ્ટ જાહેર માર્ગો પર સળગાવવામાં આવે છે .  ઉદ્યોગકારોને જાણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ પોલ્યુશન ફેલાવાનો પરવાનો આપ્યો હોય એવું લાગી રહ્યું છે. 

વેસ્ટ ની ધોલાઈ કર્યા બાદ પાણી નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા અમુક યુનિટો પાસે ના હોવાને કારણે પાણીને જમીનમાં ઉતારી દેવામાં આવે છે. જેથી  ખેતી જમીન  બંજર બની રહી હોય એવું લાગે છે અને ભવિષ્યમાં ખેડૂતો માટે પણ આ પ્રદુષણ ખતરા સમાન બની શકે એમ  છે. પ્લાસ્ટીક કચરો બાળવામાં આવતો હોવાથી ધુમાડા નીકળતા રહે છે. જેની સામે જરૂરી કાર્યવાહી થાય તો પ્રદૂષણ પર નિયંત્રણ આવી શકે.

રિપ્રોસેસ ઉદ્યોગને લીધે અહીં અનેક લોકોને રોજગારી પણ મળે છે, પણ જો પ્રદૂષણનો પ્રશ્ન ઉઠે તો એનો નિકાલ લાવવા પાલિકા તેમ જ પદાધિકારીઓએ આગળ આવવું જોઈએ એવું અહીંના એક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VwyCwS

0 Response to "ધોરાજીમાં પ્લાસ્ટિક રિપ્રોસેસ ઉદ્યોગ દ્વારા ફેલાતું વાયુ પ્રદૂષણ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel