
ખંભાળિયાના આર્મી જવાનનું દિલ્હીમાં બીમારીથી મૃત્યુ
ખંભાળિયા, તા. 3 ડિસેમ્બર 2020, ગુરુવાર
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના રહીશ ભારતીય સેના ફરજ બજાવતા જવાન દિલીપસિંહ દાજીભા જાડેજા (ઉ.વ. ૩૫)નું મંગળવારે દિલ્હી ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
ખંભાળિયા દ્વારકા રોડ પર આવેલા સોનારડી ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ક્ષત્રિય પરિવારના વીર જવાન દિલીપસિંહ છેલ્લા આશરે સોળ વર્ષથી મિલિટરી મેન તરીકે દેશની સેવા આપી રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમને ફેફસા સહિતની બીમારી હતી. ગત તા. ૨૭ મી ના રોજ દિલ્હી સ્થિત આર્મીની હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી હતી. મંગળવારે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.
તેમના મૃતદેહને ગઈ કાલે સાંજે દિલ્હીથી વિમાન માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યાંથી સોનારડી ગામે આજે સવારે તેનો મૃતદેહ પહોંચતા ગ્રામજનો એકત્ર થયા હતા અને ભારે શોક સાથે ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો. તેમના માનભેર અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
મૃતક યુવાનને સાત વર્ષીય એક પુત્રી તથા ચાર વર્ષનો એક પુત્ર છે. તેમને એક નાનો ભાઈ તથા એક બહેન હોવાનું તથા તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમને બે વર્ષ માટે સેવાનું ખાસ એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mDoy0Q
0 Response to "ખંભાળિયાના આર્મી જવાનનું દિલ્હીમાં બીમારીથી મૃત્યુ"
Post a Comment