ચાર ગલુડીયાને પકડીને દિવાલમાં માથા અથડાવ્યા, ત્રણનાં મોત

ચાર ગલુડીયાને પકડીને દિવાલમાં માથા અથડાવ્યા, ત્રણનાં મોત


- માનસિક અસ્થિર શખ્સનું કારસ્તાન હોવાનું બહાર આવતા મનોદિવ્યાંગોનાં આશ્રમ ખાતે લઈ જવાયો ઃ પોલીસમાં ફરિયાદ અરજી

પોરબંદર,તા. 8 ડિસેમ્બર 2020, મંગળવાર


પોરબંદર શહેરમાં વધુ એક હેવાનીયતભર્યું કૃત્ય થયું છે. જેમાં ૩ ગલુડીયાઓને દિવાલ સાથે માથા અફળાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, જયારે એક ગંભીર રીતે ઘાયલ છે. આ કારસ્તાન માનસિક અસ્થિર શખ્સનું હોવાનું બહાર આવતા પોલીસ દોડી ગઈ હતી અને તેને દિવ્યાંગોના આશ્રમ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે, પોરબંદરના દરિયાકાંઠે આવેલા જુરીબાગ શેરી નં. ૧ વિસ્તારના રહેવાસીઓએ ગઈકાલે રાત્રે સાડા દશ વાગ્યે પોલીસને જાણ કરી હતી કે, તેમના વિસ્તારમાં રહેતો એક શખ્સ વારંવાર શ્વાનને પરેશાન કરે છે અને એકીસાથે ૪-૪ ગલુડીયાઓને દિવાલ સાતે માથા અફળાવીને ઈજાગ્રસ્ત કર્યા છે. આથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તે ઉપરાંત ગુ્રપ ફોર બર્ડ એન્ડ એનીમલને જાણ કરવામાં આવતા તેની ટીમ પણ ત્યાં દોડી ગી હતી અને તપાસ કરતા ૩ ગલુડીયાઓના મોત નિપજયા હતાં.

આ બનાવમાં એવું બહાર આવ્યું હતું કે, માનસિક અસ્થિર જેવા આ શખ્સે અગાઉ પણ આવુ કૃત્ય કર્યું છે. તેથી પોલીસને રજુઆત કરવામાં આવતા એ શખ્સની પણ તાત્કાલીક પુછપરછ કરીને મનોદિવ્યાંગોના આશ્રમ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. 

આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ પોલીસને લેખીત ફરિયાદ અરજી આપીને જણાવ્યું હતું કે, અહીં બધા રહેવાસીઓ જીવદયાપ્રેમી છે. અહીં માનસિક અસ્થિર હોય અવાર નવાર લત્તાવાસી તથા રાહદારીઓ ઉપર પણ હુમલા કરે છે અને ઘણા સમયથી આવી પ્રવૃતિ ચાલુ છે. મુંગા ઢોર, કૂતરા , ગાય વિગેરે ઉપ જાનલેવા હુમલા કરે છે. અગાઉ પણ ઘણા કુતરાઓને બેરહેમીથી પછાડી મોતને ઘાટ ઉતારેલા છે. જેથી ના છુટકે ફરીયાદ કરવાની જરૂર પડી છે. તાકિદે તપાસ કરાવી પાગલખાને મોકલવા તથા માનસીંકતા અંગેની તપાસ કરાવી યોગ્ય પગલા લેવા માંગ છે. આ પ૩કારની રજુઆત બાદ પોલીસે તેને મનોવિકલાંગ આશ્રમ ખાતે મોકલી ાપ્યો હતો. આ બનાવે જીવદયાપ્રેમીઓમાં ભારે અરેરાટી જન્માવી છે. 

પ્રાણીઓ ઉપર ક્રુરતાના બનાવમાં ૨૪ કલાક હેલ્પલાઈન

પોરબંદરમાં જીવદયાપ્રેમીઓના ગુ્રપ ફોર બર્ડ એન્ડ એનીમલના નેહલબેન કારાવદરાએ જણાવ્યું હતુ ંકે, તેમની ટીમ દ્વારા પ્રાણીઓ  પ્રત્યે આચરવામાં આવતી ક્રુરતા અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અન ેતેમાં ધીમેધીમે સફળતા મળી રહી છે. પ્રાણીઓ ઉપર આવા અત્યાચારના બનાવ વધે છે ત્યારે કાયદાકીય માર્ગદર્શન માટે અને આવા બનાવો અટકાવવા અમારી ૨૪ કલાક હેલ્પલાઈન ચાલુ જ છે. જેના મો.નં. ૯૮૨૫૯ ૧૯૧૯૧ ઉપર સંપર્ક સાધવા પણ ખાસ યાદી પાઠવાઈ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37LnWzZ

0 Response to "ચાર ગલુડીયાને પકડીને દિવાલમાં માથા અથડાવ્યા, ત્રણનાં મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel