
તલાલામાં વધુ 4 ઉપરાંત મોરબીમાં પણ 2 આંચકા
- સૌરાષ્ટ્રમાં ધરતીકંપનની વધતી જતી માત્રા, કચ્છ કરતા પણ વધુ સંખ્યામાં આવતા આંચકા
રાજકોટ, તા. 8 ડિસેમ્બર 2020, મંગળવાર
તલાલા ગીર પંથકમાં આઠ દિવસમાં ભૂકંપના ૩થી વધુ તીવ્રતાના ભૂકંપ સહિત કૂલ ૪૨ ભૂકંપો પછી પણ ધરતી શાંત થઈ નથી અને આજે તલાલા પાસે એ જ સ્થળે ૪ આંચકા નોંધાયા છે. જ્યારે મોરબી પાસે આજે ભૂકંપના વધુ બે આંચકા નોંધાયા છે.
ગત રાત્રિના ૨.૨ની તીવ્રતા બાદ આજે પરોઢ પહેલા ૩.૦૭ વાગ્યે ૧.૫, સવારે ૬.૫૭ વાગ્યે ૨.૪ અને ૭.૨૮ વાગ્યે ૧.૯ની તીવ્રતાથી ધરતીનું કંપન થયું હતું.
તો મોરબીમાં ફરી ગત સાંજે ૧.૪ની તીવ્રતાનો હળવો આંચકો આઈ.એસ.આર.માં નોંધાયા બાદ આજે સાંજે ૫.૨૫ વાગ્યે મોરબીથી છ કિ.મી. નવલખી રોડ પર નાની વાવડી રોડ નજીક ઈશ્વરિયા મહાદેવ મંદિર પાસે ૧.૮ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં ગત સાતેક માસથી છૂટાછવાયા સ્થળે ભૂકંપના નાના-મોટા આંચકાનું પ્રમાણ વધવા લાગ્યું છે, જો કે તેની તીવ્રતા મોટાભાગે ૪.૦થી ઓછી હોય છે. પરંતુ, આંચકાઓની સંખ્યા ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત અને જ્યાં ફોલ્ટલાઈન આવેલી છે તે કચ્છ કરતા પણ વધી ગયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gpQWkZ
0 Response to "તલાલામાં વધુ 4 ઉપરાંત મોરબીમાં પણ 2 આંચકા"
Post a Comment