
પાલિતાણા યાત્રાળુના કોરોના ટેસ્ટ ફરજીયાતના બદલે હવે મરજીયાત કરાયા
ભાવનગર, તા. 3 ડિસેમ્બર 2020, ગુરૂવાર
પાલિતાણા યાત્રા શરૂ થઇ છે અને સ્થાનિક પ્રાંત કચેરીએ યાત્રાળુ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવ્યો હતો જેનો રોષ વ્યાપક બનતા આજે મામલતદારે ફરજીયાત ટેસ્ટને મરજીયાત બનાવી દેવાયો હતો.
યાત્રાળુઓ માટે કરાયેલ ફરમાનના ફક્ત ૨૪ કલાકમાં દેશભરમાંથી જૈન સમાજમાં અતિ રોષની લાગણીને કારણે પ્રાંત અધિકારી દ્વારા તા.૨ ડિસેમ્બરના રોજ બહાર પાડેલ પત્રમાં ફરજીયાત કોરોના ટેસ્ટ ત્યારબાદ જ ધર્મશાળામાં ઉતારો આપવો તેવા પત્રને લઇ જૈનોમાં છુપો રોષ જોવા મળેલ તેમજ ગુજરાત રાજ્યમાં આવેલ વિવિધ ધાર્મિક મંદિર માટે કોઇ આવો નિયમ ન હોય ત્યારે પાલિતાણામાં શા માટે ? તેમજ માર્ચ માસથી નવેમ્બર સુધી બંધ રહેલ યાત્રા શરૂ થઇ છતાં પાલિતાણામાં યાત્રાળુ આવતા નથી ત્યારે કોના ઇશારે પ્રાંત કચેરી દ્વારા નિયમ ઘડી કઢાયો ? તેવા સવાલો ઉઠવા પામ્યા હતાં. આંગળીના વેઢે ગણાય તેવા હાજીહાવાળા મેનેજરો હાજર રાખી ફરજીયાત કોરોનાનો ટેસ્ટનો પત્ર ફક્ત ૨૪ કલાકમાં નિર્ણય પાછો ખેંચી યાત્રાળુને ઇચ્છા હોય તો ટેસ્ટ કરાવે ફરજીયાત નહીં તેવું આજે સાંજે મામલતદાર ભટ્ટે જણાવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JLQe52
0 Response to "પાલિતાણા યાત્રાળુના કોરોના ટેસ્ટ ફરજીયાતના બદલે હવે મરજીયાત કરાયા"
Post a Comment