કોરોનાનુ સંક્રમણ વધ્યુ, વધુ 20 કેસ, કુલ 5280

કોરોનાનુ સંક્રમણ વધ્યુ, વધુ 20 કેસ, કુલ 5280


- શહેરમાં કોરોનાના ૧૩ અને જિલ્લામાં ૭ કેસ : ૭૩ દર્દી સારવાર હેઠળ : લગ્નસરાની મૌસમમાં કોરાનાનો ચેપ લાગવાની શકયતા, લોકોએ સાવચેત રહેવુ જરૂરી 

ભાવનગર, તા. 3 ડિસેમ્બર 2020, ગુરૂવાર 


કોરોના વાયરસનુ સંક્રમણ ભાવનગર શહેર અને જિલ્લામાં ઝડપથી વધી રહ્યા છે તેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ર૦ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં ૧૩ અને જિલ્લામાં ૭ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. લગ્નસરાની મૌસમમાં કોરોનાનો ચેપ લાગવાની શકયતા વધુ છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. 

ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ર૦ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા હતા, જેમાં ૧૧ પુરૂષ અને ર ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાનો ૭ કેસ નોંધાયો છે, જેમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પીપળી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે ૧ તથા ગારીયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. કોરોનાના ૧૮ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૧૪ અને તાલુકાના ૪ દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં  આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.  

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ પ,ર૮૦ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૭૩ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ પ૧૩૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસ વધી રહ્યા છે અને લગ્નસરા મૌસમ ચાલી રહી છે ત્યારે લોકોએ કાળજી રાખવી જરૂરી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qkVY6G

0 Response to "કોરોનાનુ સંક્રમણ વધ્યુ, વધુ 20 કેસ, કુલ 5280"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel