
મ્યુનિ.ના આસી. કમિશનર બ્રહ્મભટ્ટ સામે લેવાયા શિક્ષાત્મક પગલાં
અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં અગાઉના કમિશનરે 23 જેટલા આસિ. કમિશનરોની ભરતી કરીને બહુ મોટો વિવાદ ઉભો કર્યો હતો. સત્તાધારી પક્ષને એક સાથે આટલી મોટી ભરતી પસંદ ન હતી દરમ્યાનમાં આસી. કમિશનરના પદ માટે ઉમેદવારી કરનારાઓ પૈકી ત્રણથી ચારના શૈક્ષણિક, અનુભવ અને જ્ઞાાતિના સર્ટીફિકેટમાં ગોટાળા હોવાનું બહાર આવ્યું હતું. જેના સંદર્ભમાં અખિલ સી. બ્રહ્મભટ્ટ સામે બોગસ માર્કશીટનો ગુનો સાબિત થતાં શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે.
મ્યુનિ.ના વહીવટમાં કઈ હદની પોલંપોલ ચાલ છે તેનો આ નમૂનો છે. નિમણુંક થઈ ગયા બાદ તેમની બી.કોમ.ની ફર્સ્ટ ક્લાસની માર્કશીટ બોગસ હોવાનું લાંબા સમય પછી ખ્યાલ આવ્યો હતો. આ અંગે વિજીલન્સની ઇન્કવાયરી નિમાતા તેમાં પણ તેમણે આચરેલી ગેરરીતિ પુરવાર થઈ ગઈ હતી. ત્યાર પછી નિવૃત્ત જજ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. જેમાં બ્રહ્મભટ્ટનો ગુનો પુરવાર થઈ જતાં તેમને તાત્કાલિક અસરથી આસિ. કમિશ્નરના હોદ્દા પરથી દૂર કરીને અગાઉની ડેપ્યુટી એચઓડીની જગયા પર ઉતારી દઈને તેમના પાંચ ઇન્ક્રીમેન્ટ ભવિષ્યની અસર સાથે અટકાવવાની શિક્ષા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના પાંચ આસિ. કમિશ્નરો હતા અને નવા 23ની નિમણુંક થતાંની સાથે જ વિવાદ પેદા થયો હતો. આમાંથી કેટલાક બહારના ઉમદવારો હતા. કેટલાક મ્યુનિ.ના જ અધિકારીઓ હતા એક સાથે આટલી મોટી ભરતી કરવા સામે શાસક પક્ષનો વિરોધ હતો પણ તે સમયના કમિશનરે તેમની વાતને કાને ધરી નહોતી. બ્રહ્મભટ્ટને યુસીડીમાં ટ્રાન્સફર અપાઈ છે જ્યારે તેમનો ચાર્જ કેલ્વિન કાપડિયાને સોંપાયો છે.
મ્યુનિ.ના હેલ્થ ખાતામાં અગાઉ ડો. ચિરાગ શાહનું નામનું અન્ય રાજ્યની મેડિકલ કોલેજમાં પણ ફેકલ્ટી તરીકે ચાલતું હોવાનું કૌભાંડ બહાર આવતા તે સમયના કમિશ્નરે તેમને નોકરીમાંથી દૂર કરવાની વાતકરી હતી બાદમાં તેમને તમામ સિનિયોરિટી રદ કરી છેક નીચેની પાયરીએ ઉતારી દેવામાં આવ્યા હતા તે સમયે પણ ગેરરીતિના મુદ્દાએ ભારે મોટી ચર્ચા જગાવી હતી. મ્યુનિ.માં હાલ ભ્રષ્ટાચાર તો ઠેર ઠેર ચાલી રહ્યો છે પરંતુ અન્ય ગેરરીતિઓ પણ માજા મૂકી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qzHGPH
0 Response to "મ્યુનિ.ના આસી. કમિશનર બ્રહ્મભટ્ટ સામે લેવાયા શિક્ષાત્મક પગલાં"
Post a Comment