અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કરફ્યૂ યથાવત

અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કરફ્યૂ યથાવત


અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર

રાજ્યમા  કોરોનાનું સંક્રમણ વધ્યુ છે જેના પગલે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અમલી બનાવ્યો છે જેની મુદત પૂર્ણ થઇ ચૂકી છે  ત્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ સહિત ત્રણ મહાનગરોમાં રાત્રી કરફ્યુ યથાવત રહેશે તેવી જાહેરાત કરી છે. જોકે, કેટલાં દિવસ સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે તે અંગે સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી.

દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસો વધ્યાં છે. કોરોનાના સંક્રમણને અટકાવવા સરકારે વિકેન્ડ કરફ્યુ પણ લાદ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ , સુરત અને વડોદરા શહેરમાં રાત્રીના નવ વગ્યાથી માંડીને સવારના છ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલી બનાવ્યો હતો. 7મી ડિસેમ્બરે રાત્રી કરફ્યુની મુદત પૂર્ણ થઇ હતી ત્યારે આજે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ સ્પષ્ટ કર્યુ હતું કે, નવી સૂચના ન આવે ત્યાં સુધી ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યુ જારી રહેશે. 

ઉલ્લેખનીય છેકે, કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે 23મી નવેમ્બરે રાત્રી કરફ્યુ અમલી બનાવ્યો હતો. દિવાળીના તહેવારો દરમિયાન કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો . હજુય કોરોના બેકાબૂ રહ્યો છે કેમ કે, ગુજરાતમાં આજેય કોરોનાના રોજ 1500 કેસો નોધાઇ રહ્યાં છે. હવે કોરોનાની રસી આવવાની શક્યતા છે ત્યારે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર તનતોડ પ્રયાસો કરી રહી છે.

રાત્રી કરફ્યુને લીધે 31મી ડિેસેમ્બરને ય ગ્રહણ લાગી શકે છે. જે રીતે રથયાત્રાથી માંડીને નવરાત્રીમાં સરકારે છૂટ આપી ન હતી  ત્યારે આ વખતે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓને પણ સરકાર મંજૂરી નહી આપે. આ જોતાં કેટલાંય પાર્ટ આયોજકોએ આ વર્ષે પાટી યોજવાનુ જ માંડી વાળ્યુ છે તો કેટલાંક આયોજકોએ અન્ય રાજ્યમાં જઇને પાર્ટી યોજવા નક્કી કર્યુ છે. આમ, 31 ડિસેમ્બરની પાર્ટી પર પણ રાત્રી કરફ્યુને લીધે રોક આવી શકે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gnezdO

0 Response to "અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કરફ્યૂ યથાવત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel