
ઓખાના દરિયામાં ફસાયેલા સાત માછીમારોને બચાવાયા
ઓખા, તા. 18 ડિસેમ્બર 2020, શુક્રવાર
ભારતીય તટરક્ષક દળના જહાજ સી-૪૧૩ દ્વારા ઓખાથી અંદાજે ૨૧ નોટિકલ માઇલ દૂર મધદરીએ માછીમારી કરી રહેલા સાત માછીમારોને બચાવવામાં આવ્યા હતા. જોકે તેઓની માછીમારી બોટ દરિયામાં ડૂબી હોવાથી બોટને છોડવી પડી છે.
ભારતીય તટરક્ષક દળ ની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ઓખા નજીકના દરિયામાં ૨૧ નોટિકલ માઇલ દૂર એક માછીમારી બોટ દરિયામાં ફસાઈ છે, અને સાત જેટલા માછીમારો તકલીફમાં હોવાની માહિતી મળ્યા બાદ, ઓખાના તટરક્ષક જિલ્લા હેડક્વાર્ટર દ્વારા દાતુમ ખાતે મહત્તમ ઝડપ સાથે સી-૪૧૩ લોન્ચ કરવામાં આવ્યું હતું, અને સહાયતા પહોંચાડવામાં આવી હતી. સી-૪૧૩ દાતુમ ખાતે આવી પહોંચ્યું હતું, અને ભારે પૂરના કારણે તેમને આંશિક ડુબેલી સ્થિતિમાં હોડી મળી આવી હતી.
ક્એ લંગર ફેંક્યું હોવાથી હોડીને પાછી કાઢવાની વ્યવસ્થા શક્ય નહોતી. અને તેમણે હોડી છોડી દીધી હતી. તમામ ક્ને સલામત રીતે સી.૪૧૩માં બેસાડીને ઓખા લાવવામાં આવ્યા હતા. બચાવવામાં આવેલા ક્ સાથે સી.૪૧૩ નામક રેસ્ક્યુ જહાજ ઓખા આવી પહોંચ્યું હતું. તમામ ક્ને સ્વસ્થ અને સ્થિર સ્થિતિમાં અહીં સોંપવામાં આવ્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nzaaay
0 Response to "ઓખાના દરિયામાં ફસાયેલા સાત માછીમારોને બચાવાયા"
Post a Comment