રાજકોટમાં રાત્રિ કરફયુ હટાવવા માટે એસ્ટ્રોન ચોકમાં ચક્કાજામ

રાજકોટમાં રાત્રિ કરફયુ હટાવવા માટે એસ્ટ્રોન ચોકમાં ચક્કાજામ


- રાત્રિ કરફયુને લીધે અનેક શ્રમિકો - ગરીબોની રોજી રોટી છીનવાઈ ગઈ છે : કાર્યકરોની અટકાયત

રાજકોટ, તા. 18 ડિસેમ્બર 2020, શુક્રવાર

રાત્રિકરફયુ બંધ કરો રાત્રિ દરમિયાન કરફયુ લાગુ કરવાથી અનેક નાના ધંધાર્થીઓને રોજગારને ફટકો થયો છે. રાત્રિ દરમિયાન હજારો પરિવારો નાના-મોટા રેસ્ટોરન્ટ અને ખાણી પીણીના કામકાજ દ્વારા રોજીરોટી રળી રહ્યાં છે. તેઓની રોજગારી છીનવાઈ ગઈ હોવાની લાગણી સાથે આજરોજ એસ્ટ્રોન ચોકમાં આમઆદમી પાર્ટી દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવતા અંદાજે ૬૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.


રાજકોટ શહેરમાં લાંબા સમયથી કોરોનાના કારણે રાત્રિ કરફયુ લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે શ્રમિક પરિવારોની આર્થિક સ્થિતિ ચિંતાજનક બની રહી હોવાથી ગરીબો, શ્રમિકો અને મધ્યમવર્ગના પરિવારોની વેદનાને વાચા આપવા માટે આજરોજ સાંજે અહી વિરાણી હાઈસ્કુલ નજીક આવેલી નાગર બોર્ડીંગથી કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે એસ્ટ્રોન ચોક પહોંચ્યા હતાં. જયાં રાત્રિ કરફયુ બંધ કરોના સુત્રોસાથે બેનર પ્રદર્શન કરી ચક્કાજામ સાથે વિરોધ દર્શિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

એસ્ટ્રોન ચોક નજીક આગેવાનો દ્વારા રાત્રિ કરફયુને લીધે સામાન્ય વર્ગના લોકોને જે હાલાકી ભોગવવી પડે છે તેની વેદના વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ આવી પહોંચતા કાર્યકર્તાઓની અટકાયત થઈ હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3raayyq

0 Response to "રાજકોટમાં રાત્રિ કરફયુ હટાવવા માટે એસ્ટ્રોન ચોકમાં ચક્કાજામ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel