દ્વારકામાં સંગમ નારાયણનું જર્જરિત મંદિર પડું પડું

દ્વારકામાં સંગમ નારાયણનું જર્જરિત મંદિર પડું પડું


- જોખમી મંદિર હોવાથી શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત, જાણે દુર્ઘટનાની રાહ જોતું તંત્ર   

દ્વારકા, તા. 5 ડિસેમ્બર 2020, શનિવાર


યાત્રાધામ દ્વારકમાં ગોમતી કાંઠાના છેલ્લા ઘાટે આવેલું પાંચ હજાર વર્ષથી  વધુ પૌરાણિક સંગમ નારાયણનું મોટુ મંદિર લાંબા સમયથી જર્જરીત થઈ ગયું  હોવાથી પડવાના આરે છે. સબંધિત તંત્ર જાણે કોઇ દુર્ઘટના બને તેની રાહ જોઇ રહ્યું હોય તેવું મંદિરના દૃશ્યો  લાગી રહ્યું છે. 

આ મંદિરના બન્ને માળ અંદર અને બહાર જર્જરીત થઈ ગયા છે . થોડા સમય પહેલા આવેલા વાવાઝોડા અને તોફાની વરસાદના કારણે મંદિરને ભારે નુકસાન થયું  છે અને મંદિરની બાજુમાં પરીક્રમાના ઓટા પર આવેલું એક નાનુ મંદિર  ટુટીને નષ્ટ થઈ ગયું  છે. જોકે સરકાર તેમ જ તંત્ર મંદિરની જાળવણી વહેલામાં વહેલી તકે કરે તે જરૂરી બન્યું છે. સરકાર દ્વારા મંદિરની નોંધ નહી લેવાય તો આ સંગમ નારાયણ મંદિર નષ્ટ થઈ જવાના આરે છે. 

ગોમતી સ્નાન કરવા આવતા યાત્રિકો આ મંદિર અંદર પહેલા દર્શન કરવા જતા હાલમાં જર્જરીત હોવાથી હવે યાત્રિકો પણ આ મંદિરના દર્શનથી વંચિત રહે છે. જોકે જગત મંદિર જેટલુ ંજ પૌરાણિક આ મંદિર હોવાથી અગાઉ  ગોમતીઘાટનો અનેક વખત જીર્ણોદ્ધાર થયો છે પણ છેલ્લા સંગમ નારાયણ મંદિરની બાદબાકી કેમ કરવામાં આવે છે? એવો પણ શ્રદ્ધાળુઓ સવાલ ઉઠાવી રહ્યા છે. યાત્રાધામ દ્વારકામાં છેલ્લા થોડા વર્ષોમાં જુદી જુદી યોજનાઓમાંથી કરોડો રૂપિયાની ગ્રાંટો ફાળવવામાં આવી પણ આ  સંગમ નારાયણ માટે સરકાર ગ્રાંટ ફાળવી પૂર્ણ હેરીટેજ મંદિર ઉભું કરવામાં કેમ ઊણી ઊતરી રહી છે? એવો પ્રશ્ન પણ લોકો કરી રહ્યા છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L6ei3f

0 Response to "દ્વારકામાં સંગમ નારાયણનું જર્જરિત મંદિર પડું પડું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel